ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં  છે તે જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કેટલાક એવા પદાર્થો છે જે અને અવસ્થામાં ઉષ્મા આપતાં સીધા જ વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે કે પ્રવાહીઅવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે, પ્રવાહી-અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં થતાં રૂપાંતરણને ઊર્ધપાતન $(Sublimation)$ કહે છે અને ઉર્વપાતન પામતા પદાર્થોને ઊર્ધ્વપાતી પદાર્થો કહે છે.

સૂકો બરફ (ધન $CO_2$ ), આયોડિન વગેરે ઊર્ધ્વપાતી પદાર્થ છે. 

 ઊર્ધ્વપાતનની પ્રક્રિયા દરમિયાન પદાર્થની ધન-અવસ્થા અને વાયુ-અવસ્થા એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં હોય છે,

Similar Questions

એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?

  • [AIIMS 1998]

બરફના ચોસલાને ધીમે ધીમે $-10^{\circ} \mathrm{C}$ થી ગરમ કરીને $100^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. નીચે આપેલા વક્રીમાંથી કયો વક્ર આ ઘટનાને ગુણાત્મક રીતે રજૂ કરે છે.

  • [JEE MAIN 2024]

યોગ્ય જોડકા જોડો :

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પદાર્થના પ્રવાહી-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ $(i)$ સબ્લિમેશન વક્ર
$(b)$ પદાર્થના ઘન-વાયુ સ્વરૂપનું  સહઅસ્તિત્ત્વ $(ii)$ ફ્યુઝન વક્ર
    $(iii)$ બાષ્પીકરણ વક્ર

ગુપ્ત ઉષ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે  તે જણાવો.

પ્રેશરકુકરમાં રસોઈ ઝડપથી શાથી થાય છે ?