(N/A) $\rightarrow$ બીજ: ફલન પછી અંડકો બીજમાં વિકસે છે.
$\rightarrow$ બીજ એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું હોય છે.
$\rightarrow$ ભ્રૂણ એ ભ્રૂણમૂળ,ભ્રૂણધરી અને એક (જેમ કે ઘઉં,મકાઈમાં) અથવા બે બીજપત્રો (જેમ કે ચણા અને વટાણામાં) ધરાવે છે.
$(a)$ દ્વિદળી બીજની રચના:
$\rightarrow$ બીજનું સૌથી બહારનું આવરણ બીજાવરણ છે.
$\rightarrow$ બીજાવરણ બે સ્તરો ધરાવે છે,બહારનું સ્તર બીજચર્મ (testa) અને અંદરનું સ્તર બીજકવચ (tegmen) છે.
$\rightarrow$ નાભિ (hilum) એ બીજાવરણ પરનો એક ડાઘ છે જેના દ્વારા વિકસતા બીજ ફળ સાથે જોડાયેલા હતા.
$\rightarrow$ નાભિની ઉપર એક નાનું છિદ્ર હોય છે જેને અંડકછિદ્ર (micropyle) કહેવાય છે.
$\rightarrow$ બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે,જે ભ્રૂણધરી અને બે બીજપત્રો ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માંસલ અને સંગ્રહિત ખોરાકથી ભરેલા હોય છે.
$\rightarrow$ ભ્રૂણધરીના બે છેડે ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર હોય છે.
$\rightarrow$ દિવેલા જેવા કેટલાક બીજમાં,બેવડા ફલનના પરિણામે બનેલ ભ્રૂણપોષ એ ખોરાક સંગ્રહિત પેશી છે.
$\rightarrow$ વાલ,ચણા અને વટાણા જેવા છોડમાં,પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ હોતો નથી અને આવા બીજને અભ્રૂણપોષી બીજ કહેવાય છે.
$(b)$ એકદળી બીજની રચના:
$\rightarrow$ સામાન્ય રીતે,એકદળી બીજ ભ્રૂણપોષી હોય છે,પરંતુ ઓર્કિડ જેવા કેટલાક બીજ અભ્રૂણપોષી હોય છે.
$\rightarrow$ મકાઈ જેવા ધાન્યના બીજમાં,બીજાવરણ પટલમય હોય છે અને સામાન્ય રીતે ફળની દીવાલ સાથે જોડાયેલું હોય છે.
$\rightarrow$ ભ્રૂણપોષ મોટો હોય છે અને ખોરાકનો સંગ્રહ કરે છે. ભ્રૂણપોષનું બહારનું આવરણ ભ્રૂણને પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ કરે છે જેને સમદેહ (aleurone) સ્તર કહેવાય છે.
$\rightarrow$ ભ્રૂણ નાનો હોય છે અને ભ્રૂણપોષના એક છેડે ખાંચમાં સ્થિત હોય છે. તે એક મોટા અને ઢાલ આકારના બીજપત્રનો બનેલો હોય છે જેને વરુથિકા (scutellum) કહેવાય છે અને ભ્રૂણાગ્ર તથા ભ્રૂણમૂળ ધરાવતી ટૂંકી ધરી હોય છે.
$\rightarrow$ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ જે આવરણોમાં બંધ હોય છે તેને અનુક્રમે ભ્રૂણાગ્ર ચોલ (coleoptile) અને ભ્રૂણમૂળ ચોલ (coleorhiza) કહેવાય છે.