વંશાવળી પૃથક્કરણ શું છે? આ પૃથક્કરણ કેવી રીતે ઉપયોગી છે. ટિપ્પણી કરો.
માનવસમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાંના સમયથી ચાલી આવી છે. તેનો આધાર હતો કે કેટલાંક કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથક્કરણની શરૂઆત થઈ. એ સ્પષ્ટ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી. એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. માનવકુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ (pedigree analysis) કહે છે. વંશાવળી પૃથક્કરણમાં વંશવૃક્ષ (family tree) તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે.
મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. મૅન્ડેલિયન અનિયમિતતા એ છે કે, જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઊતરે છે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. આ પ્રકારની મૅન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાનાં ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથક્કરણ દ્વારા શોધી શકાય છે. મેન્ડેલિયન વિકારોનાં સૌથી સામાન્ય ઉદાહરણ હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ-સેલ એનિમિયા, રંગઅંધતા, ફિનાઈલ કિટોન્યુરિયા, થેલેસેમિયા વગેરે છે.
સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?
આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે છે. યુગલનું પ્રથમ બાળક સામાન્ય ત્વચાના અસામાન્ય રંજકદ્રવ્યવાળું આલ્બીનો હતું. તો તેમના બીજા બાળકની કેટલી સંભાવના તે બાળક પણ આલ્બીનો હોય?
માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?
દૈહિક પ્રભાવી રોગ $- P$
દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$
$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$
$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,
$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી
$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R$
અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?