પારિમાણિક વિશ્લેષણ એટલે શું ? તેના ઉપયોગ લખો.
પરિમાણની સંકલ્પના પાયાનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓનો જ સરવાળો અથવા બાદબાકી થઈ શકે છે.
પરિમાણિક વિશ્લેષણા : “પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની પદ્વતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે."
પારિમાણિક વિશ્લેષણના ઉ૫યોગો : તેના મુખ્ય ત્રણ ઉપયોગો છે :
$(1)$ બે જુદ્દી જુદી એકમપદ્વતિનાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો.
$(2)$ ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી.
$(3)$ કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું.
$ X = \frac{{{\varepsilon _0}LV}}{t} $ સમીકરણ, જયાં $ {\varepsilon _0} $ શૂન્વકાશની પરમીટીવીટી ,$L$ લંબાઇ અને $V$ વોલ્ટેજ અને $t$ સમય હોય,તો $X$ નો એકમ કોના જેવો હશે?
વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર .....
જો વેગ $[V],$ સમય $[T]$ અને બળ $[F]$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?