અહીં ચેતાતંતુ (axon) માંથી આવેગના વહનનું આકૃતિ દ્વારા નિરૂપણ આપેલ છે (બિંદુ $A$ અને $B$ પર). આકૃતિ જુઓ અને આવેગના વહનના સોપાનોને ક્રમમાં ગોઠવો.
$I.$ $A$ સ્થાન પર પટલની ધ્રુવીયતા ઉલટાય છે અને તે વિધ્રુવીકરણ (depolarized) પામે છે,એટલે કે,બહારની સપાટી ઋણભારિત અને અંદરની સપાટી ધનભારિત બને છે,જેનાથી ચેતા આવેગ ઉત્પન્ન થાય છે.
$II.$ એક ઉત્તેજના ચેતાતંતુના $A$ સ્થાન પર પટલમાં ખલેલ પહોંચાડે છે,જેના પરિણામે $Na^+$ આયનો ચેતાતંતુની અંદર પ્રવેશે છે.
$III.$ બહારની સપાટી પર,પ્રવાહ $B$ સ્થાનથી $A$ સ્થાન તરફ વહે છે જેથી વિદ્યુત પ્રવાહનો પરિપથ પૂર્ણ થાય. આથી,તે સ્થાન પર ધ્રુવીયતા ઉલટાય છે અને $B$ સ્થાન પર ક્રિયાત્મક પોટેન્શિયલ (action potential) ઉત્પન્ન થાય છે. $A$ સ્થાન પર ઉત્પન્ન થયેલ આવેગ (ક્રિયાત્મક પોટેન્શિયલ) $B$ સ્થાન પર પહોંચે છે. આ ક્રમ ચેતાતંતુની લંબાઈ સાથે પુનરાવર્તિત થાય છે અને પરિણામે આવેગનું વહન થાય છે.
$IV.$ તરત જ આગળ,ચેતાતંતુ (દા.ત.,$B$ સ્થાન) ના પટલની બહારની સપાટી પર ધનભાર અને અંદરની સપાટી પર ઋણભાર હોય છે. પરિણામે,અંદરની સપાટી પર પ્રવાહ $A$ સ્થાનથી $B$ સ્થાન તરફ વહે છે.