(N/A) એકવાર પરાગરજ મુક્ત થયા પછી,ફલન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પરાગરજે પોતાની જીવિતતા ગુમાવે તે પહેલાં સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવું પડે છે.
પરાગરજ કેટલા સમય સુધી જીવિત રહે છે તે ખૂબ જ પરિવર્તનશીલ છે અને તે મુખ્યત્વે તે સમયના તાપમાન અને ભેજ પર આધાર રાખે છે.
ડાંગર અને ઘઉં જેવા કેટલાક ધાન્ય પાકોમાં,પરાગરજ મુક્ત થયાની $30$ મિનિટની અંદર પોતાની જીવિતતા ગુમાવે છે.
રોઝેસી (Rosaceae),લેગ્યુમિનોસી (Leguminosae) અને સોલેનેસી (Solanaceae) કુળના કેટલાક સભ્યોમાં,પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહી શકે છે.
ઘણી બધી વનસ્પતિઓની પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં $-196^{\circ}C$ તાપમાને વર્ષો સુધી સંગ્રહિત કરી શકાય છે. આવી સંગ્રહિત પરાગરજનો ઉપયોગ પાક સંવર્ધન કાર્યક્રમોમાં બીજ બેંકની જેમ પરાગ બેંક (pollen banks) તરીકે કરી શકાય છે.