અંડકોષજનન દરમિયાનનું અર્ધીકરણ, શુક્રકોષજનન કરતાં જુદાં પ્રકારનું છે. કેવી રીતે અને શા માટે ?
અંડકોષજનન, શુક્રકોષજનન કરતાં નીચેની બાબતમાં અલગ પ્રકારનું હોય છે
શુક્રકોષજનન | અંડકોષજનન |
$(1)$ શુક્રકોષો બનવાની ક્રિયા તરુણાવસ્થામાં થાય છે. | $(1)$ આદિ અંડકોષો જન્મ પહેલાં બને છે. |
$(2)$ એક જ સમયે ઘણાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. | $(2)$ પ્રત્યેક મહિને, એક જ સમયે એક જ અંડકોષ ઉત્પન્ન થાય થાય છે. |
$(3)$ બે સંપૂર્ણ અર્ધીકરણ વિભાજન પછી, એક જ સરખા પ્રકાર અને કદના ચાર કોષો ઉત્પન્ન થાય છે. | $(3)$ પ્રોફેઝ - Tદરમિયાન અર્ધીકરણ -1રોકાય છે અને પાછળની અવસ્થામાં બધા જ કોષરસ સાથેનો એક મોટો કોષ અને ત્રણ નાના કદના કોષો ઉત્પન્ન થાય છે. |
$(4)$ તેઓ પલ્મો ધરાવતાં અને ચલિત કોષમાં પુખ્ત બને છે. | $(4)$ પુખ્ત અંડકોષો પલ્મો વિહીન અને અચલિત હોય છે. |
કારણો : $(1)$ અસમાન કોષવિભાજન દ્વારા અંડકોષને બાકીના ત્રણ ધ્રુવકાયો કરતાં ઘણો મોટો બનાવે છે. કારણ કે અંડકોષમાં ઘણો કોષરસ અને ઘણી અંગિકાઓ હોય છે. તેને બચવા માટેની ઘણી તકો હોય છે. $(2)$ નર લાખોની સંખ્યામાં નાના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જ્યારે માદા ફક્ત એક જ અંડકોષ પ્રત્યેક મહિનામાં ઉત્પન્ન કરે છે અને તે બીજા અર્ધીકરણના વિભાજન માટે ફલન પૂર્વેના થોડા સમય માટે રાહ જુએ છે. શક્તિ બચાવવા માટેનો એક પ્રકાર છે. $(3)$ શુક્રકોષ નાનો અને ચલિત છે. કારણ કે તેને નર પ્રજનનતંત્રમાંથી માદા પ્રજનનતંત્ર તરફ જવાનું હોય છે. મોટા અંડકોષમાં પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક હોય છે. આથી ફલન પછી તુરત જ વિકાસ પામે છે.
શુક્રકોષોનું નિર્માણ થવા માટે શુક્રપિંડમાં કઈ ક્રિયાઓ થાય છે ?
નીચેનામાંથી કઈ રચનાં એકકીય છે ?
માનવ માદામાં ક્યારે વધુ સંખ્યામાં પ્રાથમિક અંડપુટિકા તેનાં અંડપિંડમાં આવેલી હોય છે ?
સરટોલી કોષ શેમાં ભાગ ભજવે છે ?
દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષો ઉત્પન્ન થાય છે? .