માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
જળચર ગૃહ (માછલીધર) અને ફાર્મહાઉસ એ કૃત્રિમ કે માનવ દ્વારા નિર્મિત નિવસનતંત્રો છે. કૃત્રિમ નિવસનતંત્રમાં જૈવિક અને અજૈવિક ધટકોને કૃત્રિમ રીતે જાળવવામાં આવે છે. જેમ કે માછલીધરમાં માછલીઓને ઓક્સિજનનો પુરવઠો, સફાઈ, ખોરાક આપવો અને પાકમાં કે ફાર્મહાઉસમાં સિંચાઈ કરવામાં આવે છે.
જ્યારે કુદરતી નિવસનતંત્રમાં અજૈવિક કે જૈવિક ઘટકો કુદરતી રીતે જાળવવામાં આવે છે. જેવા કે પોષવાચક્ર, સ્વસ્થિરતા, જમીનનું ધોવાણ, પ્રદૂષકોનું શોપણ અને ગ્લોબલ વોર્મિંગને લીધે ઉત્પન્ન થતાં ભયને ઓછો કરવો (પરિસ્થિતિકીય સેવાઓ) વગેરે.
અસંગત બાબતને અલગ તારવો.
જીવાવરણ કેવી રીતે રચાય છે ?
જીવાવરણ ......નું બનેલું છે.
પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
નિવસનતંત્રની નીચેની કઈ લાક્ષણીકતા કુદરતી રીતે માનવ સમાજને પ્રાપ્ત થાય છે?