કાર્બનચક્ર સમજાવો.
સજીવોના શુષ્ક વજનનો $49 \%$ ભાગ કાર્બનથી બનેલો હોય છે અને પાણી પછી તે બીજા ક્રમે આવે છે.
જે આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા જોઈએ તો $71 \%$ કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલો છે.
આ મહાસાગરનો કાર્બનભંડાર, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રાનું નિયમન કરે છે. કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર $1 \%$ ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે.
અશ્મિ-બળતણ પણ કાર્બનના એક સંચયસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે.
વાતાવરણ અને મહાસાગર દ્વારા તથા જીવંત અને મૃતજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે.
એક અંદાજ પ્રમાણે પ્રકાશસંશ્લેપણ દ્વારા $4 \times 10^{13} \mathrm{~kg}$ જેટલા કર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે.
ઉત્પાદકો અને ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણામાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા $\mathrm{CO}_{2}$ સ્વરૂપે પાછી ફરે છે.
જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિધટન પ્રક્રિયા દ્વારા $\mathrm{CO}_{2}$ નો સેતુ જળળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે.
સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહન (ચક્રિયકરણામાંથી બહાર નિકાલ પામે છે. લાકડાં સળગાવવા, જંગલની આગ (દવ) તથા કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિ-બળતણણ, જવાળામુખી ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ $\left(\mathrm{CO}_{2}\right)$ ની મુક્તિ માટેના વધારાના સ્ત્રોત છે.
ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.
આપાત સૌર વિકિરણમાં $PAR$ નો જથ્થો કેટલો હોય છે ?
પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય અને શરૂઆત (પાયાના) સમુદાય વચ્ચેના ઉત્પાદન શ્વસનનો ગુણોત્તર ( નો દર) શું હશે ? શરૂઆતના સમુદાય અને પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયના પ્રમાણમાં ફેરફાર જોવા મળે તો તમો કયા પ્રકારની સમજૂતી આપશો ?
નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .