વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
પ્રશુક્રકોષ રચનાની દૃષ્ટિએ પ્રચલન માટે સંપૂર્ણ નથી. જે યોનિમાર્ગ દ્વારા અંડવાહિની સુધી જવા માટે જરૂરી છે. તેથી આ ક્રિયા દ્વારા પુચ્છ જેવી રચના પ્રાપ્ત કરે છે, ઉપરાંત અંડકોષમાં પ્રવેશ માટે શીર્ષ અને મધ્ય ભાગ જેવી રચના પણ આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે.
અંડકોષજનનની પ્રક્રિયા વર્ણવો.
સસ્તનમાં શુક્રકોષમાં ઘણાં પરિવર્તન આવે છે, જે અંડકોષને ફલિત કરવા માટે તૈયાર કરે છે, તેને શું કહે છે ?
શુક્રકોષજનનમાં થતી પ્રક્રિયાનો સાચા ક્રમમાં ગોઠવો.
$(a)$ નરજનનકોષો (સ્પર્મેટોગોનીયા)
$(b)$ દ્વિતીય પૂર્વશુક્રકોષો
$(c)$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો
$(d)$ પ્રશુક્રકોષો (Spermatids)
$30$ વર્ષી સ્ત્રીમાં અંડકોષ કયા સ્વરૂપે મુક્ત થાય છે ?
જનન કોષોની પ્લોઈડી કેવી હોય છે ?