વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે.
ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સચકોનો સ્રાવ થાય છે જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપનને શક્ય બનાવે છે. ગર્ભાશયની અંદરની દીવાલ વિકાસ પામી ગર્ભને આંશિક રીતે ઘેરે છે. આ પ્રક્રિયાને ગર્ભસ્થાપન કહે છે. આમ, ગર્ભસ્થાપન માટે ગર્ભને ગર્ભાશયની દીવાલ સાથે સ્થાપિત કરવા માટે ગર્ભાશયની દીવાલનો થોડોક ભાગ પચાવવો જરૂરી છે. તે કાર્ય ઉત્સચકો કરે છે.
એક જ જાતિનાં સજીવોના પરસ્પર સમાગમની ઘટનાનાં પરિણામે નિર્માણ પામતી રચના....
ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?
વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?
સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?
યુગ્મનજ સમસૂત્રીભાજન દરમિયાન અંડવાહિનીનાં....માંથી પસાર થાય, ત્યારે વિખંડન થયું તેમ કહેવાય.