ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.
કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે નીચે મુજબ છે :
$(i)$ સામયિક સંયમ (periodic abstinence) : યુગલે ઋતુચક્રના $10-17$માં દિવસ દરમિયાન સમાગમ ટાળવો. કારણ આ સમય દરમિયાન અંડપાતની શક્યતા અને ફલનની તકો વધુ હોય છે તેને ક્લન સમયગાળો કહે છે. આ સમય દરમિયાન સમાગમ ન કરવાથી ગર્ભધારણની શક્યતાઓ ઘટે છે.
$(ii)$ બાહ્ય ખૂલન અથવા સંવનન અંતરાલ (coitus interruptus) : આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર સમાગમ દરમિયાન વીર્યસ્મલન પહેલા શિશ્નને બહાર કાઢી યોનિમાર્ગની બહાર વીર્યસ્રાવ કરે છે.
$(iii)$ દુગ્ધસ્રાવ ઍમનોરિયા (Lactational amenorrhea) (ઋતુચક્રની ગેરહાજરી) : પ્રસવ પછી ભરપૂર દુગ્ધસ્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. માટે જેટલા દિવસો સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહિવત્ છે. આ પદ્ધતિ લગભગ પ્રસૂતિ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય છે.
આ પદ્ધતિઓમાં કોઈ દવાઓનો ઉપયોગ થતો ન હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. જો કે તેની નિષ્ફળતાનું પ્રમાણ ઊંચું હોય છે.
કોપર આયનો મુક્ત કરતાં આંતર ગર્ભાશય ઉપાયો $\rm {(IUD)}$ બિનઔષધીય પદ્ધતિ કરતાં વધુ અસરકારક છે. શા માટે ?
યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.
યાદી$-I$ | યાદી$-II$ |
$(a)$ વોલ્ટ્સ | $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે |
$(b)$ $IUDs$ | $(ii)$ શુક્રવાહિની દૂર કરવી |
$(c)$ પુરુષ નસબંધી |
$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ |
$(d)$ સ્ત્રી નસબંધી | $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી |
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a)- (b)- (c)- (d)$
.......... પ્રકારના $IUDs$ ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે પ્રતિકૂળ બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષ માટે અપ્રવેશ્ય બનાવે છે.
ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .
અસંગત વિકલ્પ પસંદ કરો.