(N/A) $\rightarrow$ લગભગ બધા જ ઉત્સેચકો પ્રોટીન છે.
$\rightarrow$ કેટલાક ન્યુક્લિક એસિડ એવા છે જે ઉત્સેચકો તરીકે વર્તે છે. તેમને રાઈબોઝાઈમ્સ (ribozymes) કહેવામાં આવે છે.
$\rightarrow$ ઉત્સેચકને રેખીય આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. કોઈપણ પ્રોટીનની જેમ ઉત્સેચક પણ પ્રાથમિક બંધારણ ધરાવે છે,એટલે કે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ.
$\rightarrow$ કોઈપણ પ્રોટીનની જેમ ઉત્સેચક પણ દ્વિતીયક અને તૃતીયક બંધારણ ધરાવે છે. પ્રોટીન શૃંખલાની કરોડરજ્જુ પોતાની ઉપર ગડી વળે છે,શૃંખલા એકબીજાને ઓળંગે છે અને તેથી ઘણી તિરાડો અથવા ખાંચાઓ બને છે.
$\rightarrow$ આવી એક ખાંચને 'સક્રિય સ્થાન' (active site) કહેવામાં આવે છે. ઉત્સેચકનું સક્રિય સ્થાન એ એક તિરાડ કે ખાંચ છે જેમાં પ્રક્રિયક (substrate) ગોઠવાય છે.
આમ,ઉત્સેચકો તેમના સક્રિય સ્થાન દ્વારા પ્રતિક્રિયાઓને ઊંચા દરે ઉદ્દીપિત કરે છે.
$\rightarrow$ ઉત્સેચકીય ઉદ્દીપકો અકાર્બનિક ઉદ્દીપકોથી ઘણી રીતે અલગ પડે છે. એક મુખ્ય તફાવત એ છે કે,અકાર્બનિક ઉદ્દીપકો ઊંચા તાપમાન અને ઊંચા દબાણે અસરકારક રીતે કામ કરે છે,જ્યારે ઉત્સેચકો ઊંચા તાપમાને ($40^{\circ}C$ થી ઉપર) નાશ પામે છે.
$\rightarrow$ અત્યંત ઊંચા તાપમાન (દા.ત.,ગરમ વેન્ટ્સ અને સલ્ફર ઝરણા વગેરે) માં રહેતા થર્મોફિલિક સજીવોમાંથી અલગ કરાયેલા ઉત્સેચકો સ્થિર હોય છે અને ઊંચા $(80^{\circ}-90^{\circ}C)$ તાપમાને તેમની ઉદ્દીપકીય શક્તિ જાળવી રાખે છે. આમ,થર્મોફિલિક સજીવોમાંથી અલગ કરાયેલા આવા ઉત્સેચકોની ઉષ્મીય સ્થિરતા એ એક મહત્વપૂર્ણ ગુણધર્મ છે.