સંક્રાંતિ તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી આપી, તેમનાં મૂલ્યોની વિગતે ચર્ચા કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ દરેક સંક્રાંતિ શ્રેણીમાં ડાબીબાજુથી જમણીબાજુ તરફ જતાં સંક્રાંતિ તત્ત્વોની પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ ઍન્થાલ્પીમાં વધારો થાય છે.

કારણ કે પરમાણુ ક્રમાંક વધવાની સાથે કેન્દ્રિયભારમાં વધારો થવાની સાથે આંતરિક $d$ - કક્ષકો ભરાય છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીનાં તત્ત્વોની પ્રથમ ત્રણ આયનીકરણ ઍન્થાલ્પી $\Delta_{i} H ^{\theta}\left( kJ mol ^{-1}\right)$ માં નીચે પ્રમાણે છે :

$(b)$ કોષ્ટકના $IP$ મૂલ્યો ઉપરથી તારવણી : મુખ્ય તારવણી નીચે પ્રમાણે છે :

$(i)$ આ તત્વોની ક્રમિક હરોળમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર નથી હોતો જેટલો 'અસંક્રાંતિ' તત્ત્વોમાં હોય છે.

$(ii)$ સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ ઍન્થાલ્થીના મૂલ્યમાં વધારો થાય છે, પણ ક્રમિક તત્ત્વોની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં થતા વધારાની માત્રા ઘણી જ વધારે હોય છે.

$(iii)$ $3 d$ ધાતુઓની પ્રથમ આયનીકરણ ઍન્થાલ્પીમાં અનિયમિત વલણ છે, આની રાસાયણિક અર્થસૂચકતા ઘણી ઓછી હોય છે. પ્રથમ આયનીકરણમાં તત્ત્વમાંથી $'1$ ઈલેક્ટ્રોન દુર થતાં $4 s$ અને $3 d$ કક્ષકોની સાપેક્ષ ઊર્જામાં ફેફાર થાય છે.'

$(iv)$ પ્રથમ શ્રેણીનાં તત્ત્વોની સૌથી નીચી સામાન્ય ઑક્સિડેશન અવસ્થા $+2$ છે.

$(c)$ ' $3 d$ श्रेણીનાં તત્વોમાં (પ્રથમ) આયનીકરણ ઊર્જા નજીવી માત્રામાં વધે : જ્યારે $d$ - વિભાગનાં તત્ત્વો આયનો બનાવે છે ત્યારે $(n-1) d$ ઈલેક્ટ્રોનના પહેલાં $n s$ ઈલેક્ટ્રોન દૂર થાય છે.

$3 d$ શ્રેણીના આવર્તમાં ડાબીથી જમણીબાજુ (Sc થી $Zn$ ) તરફ જતાં કેન્દ્રિય વીજભાર વધે છે, પણા આંતરિક પેટાકોશ $3 d$ માં ઈલેક્ટ્રોન ઉમેરાય છે. બાહ્યકક્ષાના ઈલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે તેની સરખામણીમાં અંદરની $3 d$ ના ઈલેક્ટ્રોન કેન્દ્રિ વીજભારના વધારા સાથે $4 s$ ઈલેક્ટ્રૉનને વધુ અસરકારક રીતે પરિરક્ષિત કરે છે. જેથી પરમાણવીય ત્રિજ્યા ધીમેથી ધટે છે અને $3 d$ શ્રેણીમાં આયનીકરણ ઊર્જા નજીવી માત્રામાં વધે છે.

$(d)$સંક્રાંતિ શ્રેણીનાં તત્વોની દ્રિતીય આયનીકરણ એન્થાલ્પીનાં મૂલ્ય વધવાનું સામાન્ય વલણા : તેઓ $4 s^{0} d^{n}$ ઈલેકટ્રોન રચના ધરાવે છે. અને તેમાં $d$ - કક્ષકોની જુદી જુદી દિશાના કારણો કેન્દ્રિય વીજભારની વધારાની અસરમાં એક $d$ - ઈલેક્ટ્રોન બીજા ઈલેક્ટ્રોંનનું પરિરક્ષણ કરી શકતો નથી.

આm, $\Delta_{i} H ^{0}$ (II) : $Sc \rightarrow Ti \rightarrow V \rightarrow Cr \rightarrow Mn \rightarrow Fe \rightarrow Co \rightarrow Ni \rightarrow Cu$ માટે વધતા ક્રમમાં છે.

$(e)$ આયનીકરણ ઍન્થાલ્પીના મૂલ્યો માટે જવાબદાર પરિબળો : આયનોમાં $d^{n}$ ઇલેક્ટ્રોનીય ગોઠવણીના માટે આયનીકરણ ઍન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન નીચે પ્રમાણે છે :

$(i)$ કેન્દ્રની તરફ પ્રત્યેક ઈલેક્ટ્રોનનું આકર્ષણ

$(ii)$ બે ઈલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ

$(iii)$ વિનિમય ઊર્જા

Similar Questions

જર્મન સિલ્વર કોની મિશ્ર ધાતુ છે?

  • [AIPMT 2000]

કયા ક્ષારના જલીય દ્રાવણ રંગીન હશે?

સંક્રાંતિ ધાતુ આયનોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી $?$ 

સંક્રાંતિ ધાતુઓ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વ્યાપક રીતે પરિવર્તનશીલ હોય છે. આ ઉદાહરણો સહિત સમજાવો અથવા $3d$ શ્રેણીની ધાતુઓની એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા વિશે લખો. 

$Zn ^{2+}, \,Ni ^{2+}$ અને $Cr ^{3+}$ આયન માટે નીચેના વિધાનોમાંથી કયુ સાચું છે?

($Zn =30,\,Ni =28$ અને $Cr =24$ના પરમાણ્વીય ક્રમાંક )

  • [AIIMS 2019]