એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
પ્રાયોગિક રીતે $pH$ ના મૂલ્ય ઉપરથી ઓસિડ-બેઈઝની પ્રબળતા નક્કી કરાય છે.
સૈદ્ધાંતિક રીતે એસિડના વિયોજન (આયનીકરણ) ની માત્રા (પ્રમાણા)નો આધાર $H-A$ બંધની પ્રબળતા અને ધ્રુવીયતાની ઉપર હોય છે, જેનાથી $[H$ $\left.{ }^{+}\right]$અને પ્રબળતા નિશ્ચિત થાય છે.
$(i)$ "જે $\mathrm{H}-\mathrm{A}$ બંધની પ્રબળતા ઘટે તો આ બંધ તોડવા જરૂરી ઊર્જા ઘટે છે અને ઝસિડ $\mathrm{HA}$ ની પ્રબળતા વધે છે.
$(ii)$ પરમાણુ $\mathrm{H}$ અને $\mathrm{A}$ ની વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત વધે તો $\mathrm{H}-\mathrm{A}$ બંધ વધારે ધ્રુવીય બને છે, વીજભારનું અલગીકરણ વધे છે અને $\mathrm{H}-\mathrm{A}$ બંધને તોડવાનું સરળ બને છે; જેના પરિણામે એસિડિકતા વધે છે. આમ બંધની ધ્રુવીયતા $\alpha$ વિદ્યુતઋણતાનો તફાવત $\alpha$ ઍસિડિક્તા
$(iii)$ એક જ આવર્તમાં $H-A$ ની પ્રબળતા : આવર્ત કોષ્કના એક જ આવર્તમાં $H-A$ બંધની ધ્રુવીયતાનું મૂલ્ય એસિડની પ્રબળતા નક્કી કર્તા પરિબળ છે. આર્વતમા જેમ $A$ ની વિદ્યુતઋણતા વધે છે તેમ ઓસિડની પ્રબળતા વધે છે. દા.ત.,
$\rightarrow \mathrm{A}$ ની વિદ્યુતઋણતા વધે છે $\rightarrow \mathrm{CH}_{4}<\mathrm{NH}_{3}<\mathrm{H}_{2} \mathrm{O}<\mathrm{HF} \rightarrow$ ઍસિડની પ્રબળતા વધે $\rightarrow$
એક જ સમૂહમાં ઍસિડિક પ્રબળતા : આવર્ત કોષ્ટકના એક જ સમૂહનાં તત્ત્વોની એસિડિક્તાની સરખામણી કરવામાં $H - A$ બંધની ધ્રુવીયતાના કરતા $H-A$ બંધની પ્રબળતા વધારે અગત્યનું પરિબળ છે. "સમૂહમાં નીયે જતાં $A$ નું કદ વધે છે તેમાં $H-A$ બંધની પ્રબળતા ઘટે છે અને એસિડની પ્રબળતા વધે છે."દા.ત.$A$ નું કદ વધે $\rightarrow \mathrm{HF}<<\mathrm{HCl}<\mathrm{HBr}<\mathrm{HI} \rightarrow$ એસિડની પ્રબળતા વધે $\rightarrow$
$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?
$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$
$0.006\, M$ બેન્ઝોઇક એસિડની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી થશે.? ($K_a = 6 \times 10^{-5}$)
$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.
$0.02$ $mL$ $ClC{H_2}COOH$ ની $pH$ ગણો, તેનો ${K_a} = 1.36 \times {10^{ - 3}}$ છે તેનો $pK_{b}$ ગણો.
$0.05$ $M$ એમોનિયા દ્રાવણનો આયનીકરણ અંશ અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક કોષ્ટક $7.7$ માંથી લઈ શકાશે. વળી, એમોનિયાના સંયુગ્મ ઍસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.