રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો.
રાસાયણિક ગુણધર્મો | ધાતુ | અધાતુ |
આયનનું નિર્માણ |
તેઓ વિદ્યુત ધન તત્ત્વો હોવાથી, ઇલેક્ટ્રૉન ગુમાવીને ધનાધન બનાવે છે. દા.ત., $Na \rightarrow Na ^{+}+ e ^{-}$ |
તેઓ વિદ્યુત ઋણ તત્ત્વો હોવાથી તે ઇલેક્ટ્રૉન મેળવીને ઋણાયન બનાવે છે. દા.ત., $Cl + e ^{-} \rightarrow Cl ^{-}$ |
આયનો ગુમાવવા |
તેમના સંયોજનોના વિદ્યુતવિભાજન દરમિયાન તેઓ કૅથોડ પરથી આયનો ગુમાવે છે. કૅથોડ પર $Na ^{+}+ e ^{-} \rightarrow Na$ (ધનાયન) |
તેમના સંયોજનોના વિદ્યુતવિભાજન દરમિયાન તેઓ કૅથોડમાંથી મુક્ત થાય છે. (અથવા હાઇડ્રોજન) કૅથોડ પર $2 H ^{+}+2 e ^{-} \rightarrow H _{2}(g)$ (ધનાયન) |
રિડક્શનકર્તા અથવા ઑક્સિડેશનકર્તા |
તેઓ રિડક્શનકર્તા હોવાથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે. |
તેઓ ઑક્સિડેશનકર્તા હોવાથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે ઈલેક્ટ્રૉનનો સ્વીકાર કરે છે. |
ઑક્સાઇડનો સ્વભાવ |
ધાત્વિક ઑક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તેમાંથી કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈને બેઝિક દ્રાવણ બનાવે છે. દા.ત., બેઝિક ઑક્સાઇડ : $K _{2} O ,\, Na _{2} O , \,CaO , \,MgO$ અને $CuO$ ઉભયગુણી ઑક્સાઇડ : $Al _{2} O _{3},\, PbO$ અને $ZnO$ |
અધાતુના ઑક્સાઇડ સ્વભાવે ઍસિડિક હોય છે. તેમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈને ઍસિડિક દ્રાવણ બનાવે છે. દા.ત., ઍસિડિક ઑક્સાઇડ : $CO _{2}, SO _{2}, \,SO _{3},\, NO _{2}$ અને $P_2O_5$ તટસ્થ ઑક્સાઇડ : $CO ,\, NO , \,N _{2} O$ અને $H_2O$ |
એસિડ સાથે પ્રક્રિયા |
સક્રિય ધાતુ તત્ત્વો મંદ $HCl/H_2SO_4$ સાથે પ્રક્રિયા કરી ધાત્વીય ક્ષાર અને $H_2$ વાયુ બનાવે છે. $M +2 HCl \rightarrow MCl _{2}+ H _{2}( g )$ |
અધાતુ તત્ત્વો એ મંદ ઍસિડ સાથે પ્રક્રિયા કરી શકતા નથી. આમ તેઓ ઍસિડમાંથી $H^+$ આયનનું વિસ્થાપન કરીને ક્ષાર બનાવી શકતા નથી. |
હાઇડ્રાઇડનું નિર્માણ |
બધા જ ધાતુ તત્ત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રાઇડ બનાવે છે (અપવાદ $Na$, $K$, $Ca$ જેવી સક્રિય ધાતુઓ) |
બધા જ અધાતુ તત્ત્વો હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે છે. |
તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.
$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?
$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.
એક વ્યક્તિ ઘરે-ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ (ઝાંખા) સોનાનાં ઘરેણાની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડુબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો ?
કારણ આપો કે કૉપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.
નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે ?
ખાદ્યપદાર્થના ડબા પર ટીનનું સ્તર લાગે છે નહિ કે ઝિંકનું, કારણ કે