(N/A) $\rightarrow$ વાહક એધા: વર્ધનશીલ સ્તર જે બે વાહક પેશીઓ - જલવાહક અને અન્નવાહકના નિર્માણ માટે જવાબદાર છે,તેને વાહક એધા કહેવામાં આવે છે.
$\rightarrow$ યુવાન પ્રકાંડમાં તે જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર તરીકે ટુકડાઓમાં હાજર હોય છે. ત્યારબાદ તે એક સંપૂર્ણ વલય બનાવે છે.
$(a)$ એધા વલયનું નિર્માણ: દ્વિદળી પ્રકાંડમાં,પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે હાજર એધાના કોષોને આંતરપુલિય એધા (intrafascicular cambium) કહેવાય છે. આ આંતરપુલિય એધાની નજીકના મજ્જા કિરણોના કોષો વર્ધનશીલ બનીને આંતરપુલિય એધા (interfascicular cambium) બનાવે છે. આમ,એધાનું એક સળંગ વલય રચાય છે.
$(b)$ એધા વલયની સક્રિયતા: એધા વલય સક્રિય થાય છે અને અંદરની અને બહારની બંને બાજુએ નવા કોષો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે.
$\rightarrow$ મજ્જા તરફ ઉત્પન્ન થયેલા કોષો દ્વિતીય જલવાહકમાં પરિપક્વ થાય છે અને પરિઘ તરફ ઉત્પન્ન થયેલા કોષો દ્વિતીય અન્નવાહકમાં પરિપક્વ થાય છે.
$\rightarrow$ એધા સામાન્ય રીતે બહારની બાજુ કરતા અંદરની બાજુએ વધુ સક્રિય હોય છે. પરિણામે,દ્વિતીય અન્નવાહક કરતા દ્વિતીય જલવાહકનું પ્રમાણ વધુ હોય છે અને તે જલ્દીથી એક સઘન જથ્થો બનાવે છે. આ તબક્કે દ્વિતીય જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બની જાય છે.
$\rightarrow$ દ્વિતીય જલવાહકના સતત નિર્માણ અને સંચયને કારણે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક ધીમે ધીમે દબાઈ જાય છે.
$\rightarrow$ જોકે,પ્રાથમિક જલવાહક કેન્દ્રમાં અથવા તેની આસપાસ લગભગ અકબંધ રહે છે.