(N/A) $\rightarrow$ ચોક્કસ મર્યાદિત જરૂરિયાતો અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે,જીવંત ટેરિડોફાઇટ્સનો ફેલાવો મર્યાદિત છે અને તે સાંકડા ભૌગોલિક વિસ્તારો પૂરતો સીમિત છે.
$\rightarrow$ જન્યુજનક (gametophytes) નર અને માદા પ્રજનન અંગો ધરાવે છે જેને પુજન્યુધાની (antheridia) અને સ્ત્રીજન્યુધાની (archegonia) કહેવામાં આવે છે.
$\rightarrow$ પુજન્યુઓ (antherozoids) ના સ્થળાંતર માટે પાણીની જરૂર હોય છે.
$\rightarrow$ નર જન્યુઓ પુજન્યુધાનીમાંથી મુક્ત થઈને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચે છે.
$\rightarrow$ સ્ત્રીજન્યુધાનીમાં હાજર અંડકોષ સાથે નર જન્યુનું જોડાણ થવાથી યુગ્મનજ (zygote) નું નિર્માણ થાય છે.
$\rightarrow$ ત્યારબાદ યુગ્મનજ એક બહુકોષીય અને સુવિકસિત બીજાણુજનક (sporophyte) ઉત્પન્ન કરે છે,જે ટેરિડોફાઇટ્સની પ્રભાવી અવસ્થા છે.