(N/A) $\rightarrow$ મૂળ,પ્રકાંડ અને પર્ણોના પેશીય આયોજનને સમજવા માટે,આ અંગોના પરિપક્વ ભાગોના આડછેદનો અભ્યાસ કરવો અનુકૂળ છે.
$\rightarrow$ સૂર્યમુખીના પરિપક્વ મૂળની આંતરિક રચના: સૂર્યમુખી એ દ્વિદળી વનસ્પતિ છે. જ્યારે સૂર્યમુખીના મૂળના આડછેદને સેફ્રેનિન વડે અભિરંજિત કરી,પાણીથી ધોઈને સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જોવામાં આવે છે,ત્યારે બહારથી અંદરની તરફ નીચે મુજબના પ્રદેશો જોવા મળે છે:
$(1)$ અધિસ્તર $(2)$ બાહ્યક $(3)$ અંતઃસ્તર $(4)$ પરિવર્ધ $(5)$ વાહીપુલ $(6)$ મજ્જા.
$\rightarrow$ અધિસ્તર: તે સૌથી બહારનું સ્તર છે. ઘણા અધિસ્તરીય કોષો એકકોષીય મૂળરોમ તરીકે બહાર નીકળે છે. કોષો પાતળી દીવાલવાળા અને સેલ્યુલોઝના બનેલા હોય છે. તેનું મુખ્ય કાર્ય પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું છે.
$\rightarrow$ બાહ્યક: તે આંતરકોષીય અવકાશ ધરાવતા પાતળી દીવાલવાળા મૃદુતકીય કોષોના અનેક સ્તરોનું બનેલું છે.
$\rightarrow$ અંતઃસ્તર: તે આંતરકોષીય અવકાશ વગરના પીપળાકાર કોષોનું એક સ્તર ધરાવે છે. તેની સ્પર્શક અને અરીય દીવાલો પર સુબેરિન નામના પાણી માટે અપ્રવેશ્ય મીણયુક્ત પદાર્થનું જમાવટ હોય છે,જેને કેસ્પેરિયન પટ્ટીઓ કહે છે.
$\rightarrow$ પરિવર્ધ: અંતઃસ્તરની અંદરની તરફ જાડી દીવાલવાળા મૃદુતકીય કોષોના થોડા સ્તરો આવેલા હોય છે,જેને પરિવર્ધ કહે છે. દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાર્શ્વમૂળ અને વાહક એધાની શરૂઆત આ કોષોમાંથી થાય છે.
$\rightarrow$ વાહીપુલ: આ અરીય પ્રકારના હોય છે,જેમાં જલવાહક અને અન્નવાહક એકાંતરે ગોઠવાયેલા હોય છે. જલવાહક અને અન્નવાહકના સમૂહો સામાન્ય રીતે બે થી ચાર હોય છે.
$\rightarrow$ સંયોજક પેશી: જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલા મૃદુતકીય કોષોને સંયોજક પેશી કહે છે.
$\rightarrow$ મજ્જા: દ્વિદળી મૂળમાં મજ્જા ખૂબ નાની અથવા અસ્પષ્ટ હોય છે.