અપૂર્ણ પ્રભુતા કોને કહે છે ? શ્વાનપુષ્પ કે સ્નેપડ્રેગોનનાં ઉદાહરણ દ્વારા સમજાવો.
જ્યારે વટાણાવાળો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરાયો ત્યારે ખબર પડી કે ક્યારેક $F_1$ માં એવા સ્વરૂપો પ્રાપ્ત થાય છે કે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. (વચગાળાનાં લક્ષણો દર્શાવે છે.)
શ્વાન પુષ્પ અપૂર્ણ પ્રભુતાના નિયમને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ $(RR)$ને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ $(rr)$ વચ્ચે સંકરણ કરાવ્યું. પરિણામ સ્વરૂપ $F_1$ પેઢી ગુલાબી પુષ્યવાળી $(Rr)$ પ્રાપ્ત થઈ.
જ્યારે $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું તો પરિણામો
$RR\quad :\quad Rr \quad:\quad rr$
$1\quad\quad : \quad2 \quad:\quad 1$
(સફેદ) (ગુલાબી) (લાલ)
પ્રાપ્ત થયાં. અહીં જનીન પ્રકાર-પ્રમાણ મૅન્ડલના કોઈ પણ એકસંકરણ પ્રયોગ જેવું જ હતું પણ સ્વરૂપ પ્રકાર $3 : 1$ બદલાઈ ગયું.
આ ઉદાહરણમાં $R$ કારક $r$ કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી લાલ $(RR)$ અને સફેદ $(rr)$ દ્વારા ગુલાબી $(Rr)$ પ્રાપ્ત થયું.
આ રીતે કોઈ વૈકલ્પિક કારક તેના યુગ્મ કારક પર પ્રભાવી નથી, આને અપૂર્ણ પ્રભુતા કહી શકાય.
$RR$ (લાલ) ને $ rr$ (સફેદ) સાથે સંકરણ કરાવવામાં આવે છે. બધી જ $Rr$ સંતતિ ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે. તે દર્શાવે છે કે એ જનીન ....... છે.
જયારે ગુલાબી પુષ્પો ધરાવતાં એન્ટિરહાઈનમનાં છોડનું કસોટી સંકરણ કરવામાં આવે તો પરિણામી સંતતિમાં ફીનોટાઈપીક ગુણોત્તર
મિરાબિલિસમાં લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પુષ્પનાં સંકરણ દ્વારા ગુલાબી પુષ્પ ઉત્પન્ન થાય છે. હવે,સફેદ રંગ પુષ્પનું ગુલાબી રંગનું પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેમનો અપેક્ષિત સ્વરૂપ પ્રકાર ..... હશે.
શ્વાનપુષ્પ વનસ્પતિમાં સફેદ પુષ્પ ધરાવતી $ww$ પ્રચ્છન્ન વનસ્પતિ અને $RR$ લાલ (પ્રભાવી) વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવતા $F_2$ પેઢીમાં $180$ વનસ્પતિ પ્રાપ્ત થાય છે, તો તેમાંથી કેટલી વનસ્પતિ પિતા જેવું બંધારણ ધરાવતી હશે?
મેન્ડલે.....નો પ્રસ્તાવ રજૂ કર્યો ન હતો.