(N/A) આસૃતિ એટલે પાણીના અણુઓનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ (જેમ કે કોષરસસ્તર) દ્વારા વધુ પાણીના ક્ષમતાવાળા વિસ્તારમાંથી ઓછા પાણીના ક્ષમતાવાળા વિસ્તાર તરફ થતું સ્વયંભૂ વહન. આ એક નિષ્ક્રિય પ્રક્રિયા છે,એટલે કે તેમાં કોષીય ઉર્જાનો વપરાશ થતો નથી.
આસૃતિ ઉપયોગી હોય તેવા ઉદાહરણો:
$(i)$ $Amoeba$ અને $Paramecium$ જેવા મીઠા પાણીના સજીવો આસૃતિ દ્વારા તેમના શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે.
$(ii)$ વનસ્પતિ કોષોમાં પાણીનું વહન મુખ્યત્વે આસૃતિને કારણે થાય છે.
$(iii)$ મૂળના રોમ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ આસૃતિ દ્વારા થાય છે.
$(iv)$ તે રક્ષક કોષોના આસુનદાબ (turgor pressure) ને નિયંત્રિત કરીને વાયુરંધ્ર (stomata) ખુલવા અને બંધ થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
$(v)$ તે 'લજામણી' ($Mimosa$ $pudica$) ના છોડમાં થતી સ્પર્શાનુવર્તી હલનચલન (seismonastic movements) માટે જવાબદાર છે.
$(vi)$ આ પ્રક્રિયા વનસ્પતિના કોષો,પેશીઓ અને નરમ અંગો જેવા કે પાંદડાં,કુમળા પ્રરોહ અને ફૂલોને આસુનતા (turgidity) અને આકાર જાળવી રાખવામાં મદદ કરે છે.