રધરફડૅ પરમાણુનું ન્યુક્લિયર મોડલ કયા પ્રયોગના આધારે આપ્યું ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અર્નસ્ટ રધરફર્ડે કેટલાંક રેડિયોઍક્ટિવ તત્ત્વોમાંથી ઉત્સર્જિત

$\alpha$-કણોના પ્રકીર્ણનના પ્રયોગ પરથી પરમાણુના બંધારણની જાણકારી મેળવી અને આ પ્રયોગના પરિણામોની સમજૂતી એ પરમાણુના મૉડલની સમજૂતી આપી.

આ મૉડલને સુર્યમંડળમાં સૂર્યની આસપાસ ગ્રહો જેમ પરિભ્રમણ કરે છે તેમ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્ર પર પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે જેને પરમાણુનું ન્યુક્લિયસ કહે છે અને તેનાં પર સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હોય છે અને ઋણ વિધુતભારિત ઇલેક્ટ્રૉન આ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. જેને પરમાણુનું પ્લેનેટરી મૉડલ પણ કહે છે અથવા રધરફર્ડનું ન્યુક્લિયર મૉડલ કહે છે જે આજે આપણે સ્વીકારેલ છે.

આમ, છતાં પરમાણુઓ અમુક નિશ્ચિત તરંગલંબાઈનો જ પ્રકાશ કેમ ઉત્સર્જિત કરે છે તે સમજાવી શક્યું નહીં.

દા.ત. : એક જ ઇલેક્ટ્રૉન અને એક જ પ્રોટૉન ધરાવતો હાઇડ્રોજન પરમાણુમાં નિશ્ચિત તરંગલંબાઈઓનો જટિલ વર્ણપટ કેવી રીતે ઉત્સર્જિત કરે છે ?

Similar Questions

જેનો પરમાણ્વિય આંક $43$ હોય તેવા  $K_\alpha$ રેખાના ઘટકની તરંગ લંબાઈ $\lambda$ હોય તો $29$ પરમાણ્વિય ઘટક વાળા ઘટકની $K_\alpha$ રેખાની તરંગ લંબાઈ .....છે.

ગેઇગર અને માસર્ડેને પ્રકીર્ણનના પ્રયોગમાં સુવર્ણના વરખની જાડાઈ કેટલી રાખી હતી ? 

$Ze $ વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયસ ઉપર $\frac{1}{2} mv^2$ ગતિ-ઊર્જા ધરાવતા કણોનો પ્રતાડિત કરવામાં આવે છે, તો $\alpha$ -કણ માટે Distance of closest approach ......... ના સમપ્રમાણમાં હશે.

હિલિયમ તટસ્થ પરમાણુના એક ઇલેકટ્રૉનને મુક્ત કરવા માટેની જરૂરી ઊર્જા $24.6\, e V$ છે. હવે, બાકી રહેલા બીજા ઇલેકટ્રૉનને દૂર કરવા માટેની જરૂરી ઊર્જા ($eV$ માં) .........

રુથરફોર્ડના પ્રયોગમાં ન્યૂલિયસમાંથી નિકળતા $\alpha -$ કણોનું વિખેરણ નીચે દર્શાવેલ છે. તો નીચે પૈકી કયો પથ શકય નથી?

  • [AIEEE 2012]