(A) જ્યારે પોલિથીનને ઊન સાથે ઘસવામાં આવે છે,ત્યારે અમુક ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થાય છે. તેથી,ઊન ધન વિદ્યુતભારીત બને છે અને પોલિથીન ઋણ વિદ્યુતભારીત બને છે.
પોલિથીનના ટુકડા પરનો વિદ્યુતભાર,$q = -3 \times 10^{-7} \; C$.
એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર,$e = -1.6 \times 10^{-19} \; C$.
ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $= n$.
$n$ ની ગણતરી $q = ne$ સંબંધનો ઉપયોગ કરીને કરી શકાય છે.
$n = \frac{q}{e} = \frac{-3 \times 10^{-7}}{-1.6 \times 10^{-19}} = 1.875 \times 10^{12}$.
તેથી,ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $1.875 \times 10^{12}$ છે.
$(b)$ હા. દ્રવ્યમાનનું સ્થાનાંતર થાય છે. આનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન પાસે દ્રવ્યમાન હોય છે,$m_{e} = 9.1 \times 10^{-31} \; kg$.
ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થયેલું કુલ દ્રવ્યમાન,$m = n \times m_{e} = 1.875 \times 10^{12} \times 9.1 \times 10^{-31} \; kg$.
$m \approx 1.706 \times 10^{-18} \; kg$.
આમ,ઊનથી પોલિથીન તરફ ખૂબ જ નજીવું દ્રવ્યમાન સ્થાનાંતરિત થાય છે.