બિંદુ સ્ત્રોત $S$ માંથી આવતો પ્રકાશનો અપસારી કિરણપુંજ જેનો અપસરણ કોણ $\alpha$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના સ્લેબ પર સપ્રમાણ રીતે પડે છે. બે અંતિમ કિરણોના આપાતકોણ સમાન છે. જો કાચના સ્લેબની જાડાઈ $t$ અને વક્રીભવનાંક $n$ હોય,તો નિર્ગમન કિરણપુંજનો અપસરણ કોણ કેટલો હશે?

  • A
    $Zero$
  • B
    $\alpha$
  • C
    ${\sin ^{ - 1}}(1/n)$
  • D
    $2\,{\sin ^{ - 1}}(1/n)$

Explore More

Similar Questions

હવામાં રહેલા પક્ષી માટે, પાણીમાં રહેલી માછલી સપાટીથી $30 \,cm$ દૂર દેખાય છે. જો હવાના સાપેક્ષમાં પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો સપાટીથી માછલીની વાસ્તવિક ઊંડાઈ કેટલી હશે ($\,cm$ માં)?

પ્રકાશનું એક કિરણ પાતળા માધ્યમમાંથી ગતિ કરીને કાચના સ્લેબ પર ખૂબ જ નાના ખૂણે '$i$' આપાત થાય છે,અને વક્રીભવન પછી તેનો વેગ $25 \%$ ઘટે છે. વિચલન કોણ કેટલો હશે?

$4 \ mm$ જાડાઈ અને $\mu = 3$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબને પાર કરવા માટે પ્રકાશને લાગતો સમય (સેકન્ડમાં) કેટલો હશે?

જ્યારે સમાન એકવર્ણી પ્રકાશનું કિરણ કાચના સ્લેબ અને પાણીમાંથી પસાર થાય છે,ત્યારે $5 \ cm$ જાડાઈના કાચના સ્લેબમાં તરંગોની સંખ્યા $6 \ cm$ ઊંચાઈના પાણીના સ્તંભમાં રહેલા તરંગોની સંખ્યા જેટલી જ છે. જો કાચનો વક્રીભવનાંક $1.56$ હોય,તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે?

$15 \, cm$ જાડાઈ ધરાવતા પારદર્શક સ્લેબની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. આપાતકોણ $60^{\circ}$ છે. જો સમાંતર સપાટીમાંથી બહાર આવતા કિરણનું પાર્શ્વ સ્થાનાંતર $5\sqrt{3} \, cm$ હોય,તો સ્લેબના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo