$0.2 \ mm$ ત્રિજ્યા ધરાવતી નળાકાર કેશનળી બે અલગ-અલગ પદાર્થોની કેશનળીઓ $T_1$ અને $T_2$ ને જોડીને બનાવવામાં આવી છે,જેના પાણી સાથેના સંપર્કકોણ અનુક્રમે $0^{\circ}$ અને $60^{\circ}$ છે. આ કેશનળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અલગ-અલગ સ્થિતિઓ,કિસ્સા $I$ અને $II$ માં પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ(ઓ) સાચો(સાચા) છે?
(પાણીનું પૃષ્ઠતાણ $= 0.075 \ N/m$,પાણીની ઘનતા $= 1000 \ kg/m^3$,$g = 10 \ m/s^2$ લો)
$(1)$ મેનિસ્કસમાં રહેલા પાણીના વજનને કારણે નળીમાં ઉપર ચઢતા પાણીના સ્તંભની ઊંચાઈમાં થતો સુધારો બંને કિસ્સાઓ માટે અલગ-અલગ હશે.
$(2)$ કિસ્સા $I$ માટે,જો કેશનળીનું જોડાણ પાણીની સપાટીથી $5 \ cm$ ઉપર હોય,તો નળીમાં ઉપર ચઢતા પાણીના સ્તંભની ઊંચાઈ $8.75 \ cm$ કરતા વધારે હશે. (મેનિસ્કસમાં રહેલા પાણીના વજનને અવગણો)
$(3)$ કિસ્સા $I$ માટે,જો જોડાણ પાણીની સપાટીથી $8 \ cm$ ઉપર રાખવામાં આવે,તો નળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ $7.5 \ cm$ હશે. (મેનિસ્કસમાં રહેલા પાણીના વજનને અવગણો)
$(4)$ કિસ્સા $II$ માટે,જો કેશનળીનું જોડાણ પાણીની સપાટીથી $5 \ cm$ ઉપર હોય,તો નળીમાં ઉપર ચઢતા પાણીના સ્તંભની ઊંચાઈ $3.75 \ cm$ હશે. (મેનિસ્કસમાં રહેલા પાણીના વજનને અવગણો)