ઇથેનોલનું ઉત્પાદન,ભૌતિક ગુણધર્મો,ઉપયોગ અને તેના વિકૃતિકરણ વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઇથેનોલનું ઉત્પાદન : ઇથેનોલનું ઉત્પાદન નીચે મુજબ છે:
$(i)$ શર્કરાનું આથવણ : આ સૌથી જૂની પદ્ધતિ છે. મોલાસીસ,શેરડી અથવા દ્રાક્ષ જેવી શર્કરાનું ઉત્સેચક ઇન્વર્ટેઝની હાજરીમાં આથવણ કરતાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે.
$C_{12}H_{22}O_{11} + H_{2}O \xrightarrow{\text{invertase}} C_{6}H_{12}O_{6} + C_{6}H_{12}O_{6}$
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેનું અણુસૂત્ર સમાન $C_{6}H_{12}O_{6}$ છે પણ તેમનાં બંધારણો ભિન્ન છે. યીસ્ટમાંથી ઉત્સેચક ઝાયમેઝ મળે છે. ઝાયમેઝ વડે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આથવણ કરવાથી ઇથેનોલ બને છે.
$C_{6}H_{12}O_{6} \longrightarrow 2C_{2}H_{5}OH + 2CO_{2}$
$(ii)$ દ્રાક્ષમાંથી ઇથેનોલ : જ્યારે દ્રાક્ષ પાકી જાય ત્યારે તેમાં શર્કરાનો જથ્થો વધી જાય છે અને પાકી દ્રાક્ષની ઉપર યીસ્ટ ઉત્પન્ન થાય છે. દ્રાક્ષની શર્કરા અને યીસ્ટમાંનો ઝાયમેઝ એકબીજાના સંપર્કમાં આવતાં આથવણ ક્રિયા શરૂ થાય છે. આથવણ અજારક પરિસ્થિતિમાં (ઑક્સિજનની ગેરહાજરીમાં) થાય છે અને ઇથેનોલ ઉપરાંત કાર્બન-ડાયૉક્સાઈડ મુક્ત થાય છે.
ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા $14\%$ કરતાં વધે ત્યારે ઝાયમેઝની ક્રિયા અવરોધાય છે. જો આથવણ મિશ્રણમાં હવા ભળે તો હવામાંના ઑક્સિજન વડે ઇથેનોલનું ઇથેનોઈક ઍસિડમાં ઑક્સિડેશન થાય છે અને તેથી આલ્કોહોલીય પીણાંનો સ્વાદ નષ્ટ થાય છે.
$(b)$ ભૌતિક ગુણધર્મો : ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલનબિંદુ $351\,K$ છે.
$(c)$ ઉપયોગો : તે રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે અને અનેક કાર્બનિક સંયોજનો બનાવવા ઉપયોગી છે.
$(d)$ આલ્કોહોલનું વિકૃતિકરણ : ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડો કૉપર સલ્ફેટ ઉમેરીને રંગીન બનાવાય છે અને તેમાં પિરિડીન ઉમેરી દુર્ગંધવાળો બનાવાય છે. આલ્કોહોલનું વિકૃતિકરણ કરવાથી તે પીવા માટે અયોગ્ય બને છે.

Explore More

Similar Questions

પ્રાથમિક $({1^o}),$ દ્વિતીયક $({2^o}),$ અને તૃતીયક $({3^o})$ આલ્કોહોલ માટે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો છે?

$R-OH$ અને $p-nitrobenzoic$ એસિડ વચ્ચેની એસ્ટરિફિકેશન પ્રક્રિયાનો દર ક્યારે સૌથી ઝડપી હશે જ્યારે $R$ નીચેનામાંથી હોય:

Difficult
View Solution

ઓરડાના તાપમાને કયો આલ્કોહોલ લુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી?

આલ્કોહોલના $C-H$ અને $O-H$ બંધ તૂટીને થતી પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

જ્યારે આલ્કોહોલ સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નીચેનામાંથી કયું મધ્યવર્તી સંયોજન બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo