(N/A) પ્રકાશક્રિયાશીલતા: જ્યારે સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન કરે છે. જ્યારે આ પ્રકાશને પોલારીમીટરમાં રહેલા સંયોજનના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,અને જો તે સંયોજન પ્રકાશના સમતલનું ભ્રમણ કરે,તો તેને પ્રકાશક્રિયાશીલ સંયોજન કહે છે. તેમને $(+)$ અથવા $(-)$ તરીકે દર્શાવવામાં આવે છે.
પોલારીમીટર: આ પ્રકાશક્રિયાશીલતા માપવા માટેનું સાધન છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણકોણનું માપન આ સાધન દ્વારા કરવામાં આવે છે.
દક્ષિણભ્રમણીય $(d)$ અથવા $(+)$ સમઘટક: જે સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે છે,તેને દક્ષિણભ્રમણીય અથવા $d$-સ્વરૂપ કહે છે. આ ભ્રમણને ભ્રમણકોણની પહેલા $(+)$ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે.