ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે એકસાથે શા માટે દર્શાવવામાં આવે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભૌતિક રાશિના માપના સંંખ્યાત્મક મૂલ્યમાં જે અચોક્સાઈ રહે છે તેને કારણે લીધેલું માપ સહેજ વધારે કે ઓછું હોવાનો સંભવ રહે છે. આથી ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે દર્શાવવામાં આવે છે.

Similar Questions

એક ભૌતિક રાશિ $x$ નું પારિમાણિક સૂત્ર $M^{-1}L^{3}T^{-2}$  છે. $L, M$ અને $T$ ના માપનમાં અનુક્રમે ત્રુટિઓ $3\%, 2\%$ અને $4\%$ છે. તો $x$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$

અવરોધ  $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ  $R_2 = 200 \pm 4\Omega$  ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?

રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે  $2\%, 1\% $ અને $1\% $ છે તો તેની ભૌગોલિક અક્ષની જડત્વની ચાકમાત્રા $\left(I=\frac{1}{2} M R^{2}\right)$ ની મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.

એક ભૌતિકરાશિ $Q$ એ $a, b, c$ રાશિઓ સાથે $Q=\frac{a^4 b^3}{c^2}$ સમીકરણ મુજબ સંબંધ ધરાવે છે. $a, b$ અને $c$ માં પ્રતિશત ત્રૂટિ અનુક્રમે $3 \%, 4 \%$ અને $5 \%$ છે. $Q$ માં પ્રતિશત ત્રુટિ__________છે.

  • [JEE MAIN 2024]

એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે

$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$ 

તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

  • [NEET 2020]