સંક્રાંતિ ધાતુઓના ઉદ્દીપકીય ગુણધર્મ વિશે લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સંક્રાંતિ ધાતુઓ તથા તેમનાં સંયોજનો પ્રક્રિયાનું ઉદ્દીપન કરવાનો લાક્ષણિા ગુણ દર્શાવે છે. તેઓ ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે છે કે, કારણ કે તેઓમાં $d$ - ઈલેક્ટ્રોન હાજર હોવાથી તેઓ બહુ ઑક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો રચવાની ક્ષમતા ધરાવે છે.

ઉદાહરણો : $(i)$ વેનેડિયમ$(V)$ ઓક્સાઈડ $\left( V _{2} O _{5}\right)$ - સંપર્ક પ્રક્રમ (વિધી)માં, $(ii)$ સુક્ષ્મવિભાજીત આયર્ન$(Fe)$ - હેબર પ્રક્રમમાં, $(iii)$ સુક્ષ્મ વિભાજીત નિકલ$(Ni)$ - ઉદ્દીપકીય હાઈડ્રોજનીકરણમાં વગેરે.

$(i)$ ઉદીપન થવાની સમજૂતી : ઉદ્દીપકના ઘન પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોના અણુઓ અને ઉદ્દીપકના  પૃષ્ઠના પરમાણુઓ વચ્ચે બંધ બનેલા હોય છે. આ બંધ નિર્માણમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુઓના $3 d$ અને $4 s$ ના ઈલેક્ટ્રૉનને બંધન માટે ઉપયોગમાં લે છે. આ પ્રમાણે બંધ રચવાના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે તથા પ્રક્રિયકોના અણુમાંના બંધો નિર્બળ બની સક્રિયકરણ ઊર્જા ઘટે છે.

$(ii)$ ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર : ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધારે અસરકારક બને છે.

ઉદાહરણ : આયર્ન(III) $\left( Fe ^{3+}\right)$, આયોડાઈડ $(I)$ અને પરસલ્ફેટ( $\left.S _{2} O _{8}^{2-}\right)$ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે.

$(i)$ $\quad 2 I ^{-}+ S _{2} O _{8}^{2-} \underset{2Fe^{+3}}{\longrightarrow} I _{2}+2 SO _{4}^{2-}$

$(ii)$ $2 Fe ^{2+}+ S _{2} O _{8}^{2-} \rightarrow 2 Fe ^{3+}+2 SO _{4}^{2-}$

Similar Questions

$Sc (=21)$ થી $Zn (Z=30)$ શ્રેણીમાં ઝિંકની પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું એટલે કે $126\, kJ\,mol^{-1}$ હોય છે. શા માટે ?

કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?

  • [AIIMS 1983]

$Ni^{2+}$ ની જલીય દ્રાવણમાં તેની ચુંબકીય ચાકમાત્રા ......... $B.M.$ થશે.

સંક્રાંતિ ધાતુઓ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વ્યાપક રીતે પરિવર્તનશીલ હોય છે. આ ઉદાહરણો સહિત સમજાવો અથવા $3d$ શ્રેણીની ધાતુઓની એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા વિશે લખો. 

અનુચુંબકીય એસિડનું સાચું સૂત્ર.....