સંક્રાંતિ ધાતુઓના ઉદ્દીપકીય ગુણધર્મ વિશે લખો.
સંક્રાંતિ ધાતુઓ તથા તેમનાં સંયોજનો પ્રક્રિયાનું ઉદ્દીપન કરવાનો લાક્ષણિા ગુણ દર્શાવે છે. તેઓ ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે છે કે, કારણ કે તેઓમાં $d$ - ઈલેક્ટ્રોન હાજર હોવાથી તેઓ બહુ ઑક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો રચવાની ક્ષમતા ધરાવે છે.
ઉદાહરણો : $(i)$ વેનેડિયમ$(V)$ ઓક્સાઈડ $\left( V _{2} O _{5}\right)$ - સંપર્ક પ્રક્રમ (વિધી)માં, $(ii)$ સુક્ષ્મવિભાજીત આયર્ન$(Fe)$ - હેબર પ્રક્રમમાં, $(iii)$ સુક્ષ્મ વિભાજીત નિકલ$(Ni)$ - ઉદ્દીપકીય હાઈડ્રોજનીકરણમાં વગેરે.
$(i)$ ઉદીપન થવાની સમજૂતી : ઉદ્દીપકના ઘન પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોના અણુઓ અને ઉદ્દીપકના પૃષ્ઠના પરમાણુઓ વચ્ચે બંધ બનેલા હોય છે. આ બંધ નિર્માણમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુઓના $3 d$ અને $4 s$ ના ઈલેક્ટ્રૉનને બંધન માટે ઉપયોગમાં લે છે. આ પ્રમાણે બંધ રચવાના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે તથા પ્રક્રિયકોના અણુમાંના બંધો નિર્બળ બની સક્રિયકરણ ઊર્જા ઘટે છે.
$(ii)$ ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર : ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધારે અસરકારક બને છે.
ઉદાહરણ : આયર્ન(III) $\left( Fe ^{3+}\right)$, આયોડાઈડ $(I)$ અને પરસલ્ફેટ( $\left.S _{2} O _{8}^{2-}\right)$ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે.
$(i)$ $\quad 2 I ^{-}+ S _{2} O _{8}^{2-} \underset{2Fe^{+3}}{\longrightarrow} I _{2}+2 SO _{4}^{2-}$
$(ii)$ $2 Fe ^{2+}+ S _{2} O _{8}^{2-} \rightarrow 2 Fe ^{3+}+2 SO _{4}^{2-}$
$Sc (=21)$ થી $Zn (Z=30)$ શ્રેણીમાં ઝિંકની પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું એટલે કે $126\, kJ\,mol^{-1}$ હોય છે. શા માટે ?
કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?
$Ni^{2+}$ ની જલીય દ્રાવણમાં તેની ચુંબકીય ચાકમાત્રા ......... $B.M.$ થશે.
સંક્રાંતિ ધાતુઓ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વ્યાપક રીતે પરિવર્તનશીલ હોય છે. આ ઉદાહરણો સહિત સમજાવો અથવા $3d$ શ્રેણીની ધાતુઓની એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા વિશે લખો.
અનુચુંબકીય એસિડનું સાચું સૂત્ર.....