જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનાં કારણોને નીચેનાં ત્રણ ઉદ્દેશ્યોમાં સમાવાય છે :

$(a)$ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી $(b)$ વ્યાપક રીતે ઉપયોગિતાવાદી $(c)$ નૈતિક.

 

$(a)$ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી : આ કારણો ખૂબ સ્પષ્ટ છે જેમ કે, $(i)$ મનુષ્યો પ્રકૃતિમાંથી સીધા અગણીત લાભો મેળવે છે - ખોરાક (ધાન્ય, કઠોળ, ફળ), બળતળ, રેસા, ઔઘોગિક પેદાશો જેમ કે ગુંદર, રાળ, રંગ, ટેનિન વગેરે અને ઔષધીય પેદાશો. $(ii)$ સ્થાનિક જાતિઓ લગભગ વનસ્પતિની $25000$ જેટલી જાતિઓનો પારંપરિક દવાઓ તરીકે ઉપયોગ કરે છે. $25$ ટકાથી વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવાય છે.

$(b)$વ્યાપક રીતે ઉપયોગિતાવાદી : $(i)$ પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવવિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. $(ii)$ એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃૃવીના વાતાવરણના કુલ ઓક્સિજનના $20$ ટકા જેટલો $\mathrm{O}_{2}$ (ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. (iii) પરાગનયન જેના વગર ફળો કે બીજ નિર્માંણ ના પામી શકે. $(iv)$ બીજા અપ્રત્યક્ષ લાભો પણ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેવા કે, પક્ષીઓને નિહાળવાનો, ગાતા સાંભળવાનો, વિવિધ પુષ્પોને નિહાળવાનો, ગાઢ જંગલોમાં ચાલવાનો વગેરે.

$(c)$ નૈતિક : $(i)$ આ પૃથ્વીગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ જેના આપણે ઋણી છીએ. $(ii)$ દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે સમજવું જરૂરી છે કે દરેક જાતિ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે. $(iii)$ ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે.

Similar Questions

બાહ્ય સ્થાન સંરક્ષણ $( \mathrm{Ex-situ} )$ વિશે માહિતી આપો.

તે Ex-situ વનસ્પતિઓની જાળવણી માટે ઉપયોગી છે.

નીચેની નિવસનતંત્રીય સેવાઓને યોગ્ય જૂથમાં ગોઠવો.

$I-$ ઔદ્યોગિક ઉત્પાદનો $II-$ રંગકો

$III -$ બાંધકામ સામગ્રી $IV -$ પરાગનયન

$V-$ સવારમાં બુલબુલનાં ગીત સાંભળતાં-સાંભળતા જાગવું.

$VI -$ વસંતઋતુમાં સંપૂર્ણ ખીલેલાં પુષ્પો નિહાળવાનો આનંદ

$VII -$ ઊંજણ

$VIII -$ ખોરાક

સંક્ષિપ્ત રીતે ઉપયોગી વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ

સંરક્ષીત પ્રદેશ એ ઉદાહરણ છે.

એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :

  • [NEET 2024]