જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનાં કારણોને નીચેનાં ત્રણ ઉદ્દેશ્યોમાં સમાવાય છે :
$(a)$ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી $(b)$ વ્યાપક રીતે ઉપયોગિતાવાદી $(c)$ નૈતિક.
$(a)$ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી : આ કારણો ખૂબ સ્પષ્ટ છે જેમ કે, $(i)$ મનુષ્યો પ્રકૃતિમાંથી સીધા અગણીત લાભો મેળવે છે - ખોરાક (ધાન્ય, કઠોળ, ફળ), બળતળ, રેસા, ઔઘોગિક પેદાશો જેમ કે ગુંદર, રાળ, રંગ, ટેનિન વગેરે અને ઔષધીય પેદાશો. $(ii)$ સ્થાનિક જાતિઓ લગભગ વનસ્પતિની $25000$ જેટલી જાતિઓનો પારંપરિક દવાઓ તરીકે ઉપયોગ કરે છે. $25$ ટકાથી વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવાય છે.
$(b)$વ્યાપક રીતે ઉપયોગિતાવાદી : $(i)$ પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવવિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. $(ii)$ એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃૃવીના વાતાવરણના કુલ ઓક્સિજનના $20$ ટકા જેટલો $\mathrm{O}_{2}$ (ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. (iii) પરાગનયન જેના વગર ફળો કે બીજ નિર્માંણ ના પામી શકે. $(iv)$ બીજા અપ્રત્યક્ષ લાભો પણ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેવા કે, પક્ષીઓને નિહાળવાનો, ગાતા સાંભળવાનો, વિવિધ પુષ્પોને નિહાળવાનો, ગાઢ જંગલોમાં ચાલવાનો વગેરે.
$(c)$ નૈતિક : $(i)$ આ પૃથ્વીગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ જેના આપણે ઋણી છીએ. $(ii)$ દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે સમજવું જરૂરી છે કે દરેક જાતિ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે. $(iii)$ ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે.
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.
...... ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.
પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
$(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
$(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
$(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |
ઉચ્ચ સ્તરોની જાતિસમૃધ્ધિ અને ઉચ્ચપ્રમાણની સ્થાનિકતા ધરાવતા જૈવ-વિવિધતાના પ્રદેશોને શું કહે છે?