(N/A) રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ દ્વારા $DNA$ ને કાપવાના પરિણામ સ્વરૂપે $DNA$ ના ટુકડાઓ પ્રાપ્ત થાય છે. આ ટુકડાઓને < strong>જેલ ઈલેક્ટ્રોફોરેસિસ (gel electrophoresis) તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. $DNA$ ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોવાથી,તેમને માધ્યમ કે આધારકમાં વિદ્યુતક્ષેત્રની મદદથી ધન વિદ્યુતધ્રુવ (anode) તરફ ગતિ કરાવીને અલગ કરી શકાય છે.
આજકાલ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું માધ્યમ એગેરોઝ છે,જે દરિયાઈ નિંદણ (sea weeds) માંથી મેળવેલ કુદરતી પોલીમર છે. એગેરોઝ જેલની ચાળણી જેવી અસરને કારણે $DNA$ ના ટુકડાઓ તેમના કદ મુજબ અલગ થાય છે. આમ,ટુકડાનું કદ જેટલું નાનું,તેટલું તે વધુ દૂર સુધી ગતિ કરશે. આકૃતિમાં જુઓ અને અનુમાન લગાવો કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું હતું.
અલગીકૃત $DNA$ ના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે જ્યારે આ $DNA$ ને ઈથીડિયમ બ્રોમાઈડ (ethidium bromide) નામના સંયોજન વડે અભિરંજિત કરીને $UV$ કિરણો દ્વારા નિરાચ્છાદિત (exposed) કરવામાં આવે (તમે શુદ્ધ $DNA$ ના ટુકડાઓને અભિરંજિત કર્યા વગર દૃશ્યમાન પ્રકાશમાં જોઈ શકતા નથી).
ઈથીડિયમ બ્રોમાઈડથી અભિરંજિત જેલ પર $UV$ પ્રકાશ પાડતાં $DNA$ ના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોઈ શકાય છે (આકૃતિ). $DNA$ ના પટ્ટાઓને એગેરોઝ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને છાલન (elution) કહે છે. આ રીતે શુદ્ધ કરવામાં આવેલા $DNA$ ના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રિકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે.