(N/A) જનીન અભિવ્યક્તિના પરિણામે પોલિપેપ્ટાઇડનું નિર્માણ થાય છે.
સુકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન નીચેના વિવિધ સ્તરોએ થઈ શકે છે:
$(i)$ પ્રત્યાંકન સ્તર (પ્રાથમિક પ્રત્યાંક અનુલેખનું નિર્માણ).
$(ii)$ પ્રક્રિયા સ્તર (સ્પ્લિસિંગનું નિયમન).
$(iii)$ $mRNA$ નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ.
$(iv)$ ભાષાંતરીય સ્તર.
કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યોના સમૂહને કરવા માટે અભિવ્યક્ત થાય છે.
ઉદાહરણ તરીકે,$E. coli$ માં રહેલો $\beta$-ગેલેક્ટોસાઈડેઝ ઉત્સેચક લેક્ટોઝનું જળવિભાજન કરીને તેને ગેલેક્ટોઝ અને ગ્લૂકોઝમાં ફેરવે છે. પરંતુ જો માધ્યમમાં લેક્ટોઝ ગેરહાજર હોય,તો $\beta$-ગેલેક્ટોસાઈડેઝના સંશ્લેષણની જરૂર પડતી નથી.
આમ,ચયાપચયિક,દેહધાર્મિક કે પર્યાવરણીય સ્થિતિઓ જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે.