સુકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જનીન અભિવ્યક્તિના પરિણામે પોલિપેપ્ટાઇડનું નિર્માણ થાય છે.

સુકોષકેન્દ્રીમાં નિયંત્રણ નીચેના તબક્કાઓમાં જોવા મળે છે :

$(i)$ પ્રત્યાંકન સ્તર (પ્રાથમિક પ્રત્યાંક અનુલેખનું નિર્માણ)

$(ii)$ પ્રક્રિયા સ્તર (સ્પ્લિસિંગનું નિયમન)

$(iii)$ $mRNA$ નું કોષકેન્દ્રમાથી કોષરસમાં સ્થળાંતરણ

$(iv)$  ભાષાંતરીય સ્ત્તર

કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યોના સમૂહને કરવા અભિવ્યક્ત થાય છે.

ઉદા. $E.Coli$માં રહેલો $\beta -$ગેલેક્ટોસાઈડેઝ ડાયસેકેરાઇડ ઉત્સેચક લેક્ટોઝને જળવિભાજન દ્વારા ગેલેક્ટોઝ અને ગ્લૂકોઝમાં ફેરવે છે પણ જો બૅક્ટરિયામાં લેક્ટોઝ ગેરહાજર હોય તો $\beta$ ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી.

આ એક ચયાપચયિક, દેહધાર્મિક કે પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે.

Similar Questions

જો $Lac\, y$ જનીનની ટેમ્પ્લેટ શૃંખલામાં વચ્ચે $ATT$ અનુક્રમ આવેલ હોય તો શું થાય ?

આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?

  • [NEET 2018]

લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?

  • [NEET 2013]

લેક ઓપેરોન શેનો ભાગ છે ?

લેક ઓપેરોનમાં “લેક” શેને માટે વપરાય છે?

  • [AIPMT 2003]