આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ શા માટે વધુ સ્થાયી છે? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $DNA$ એ મુખ્ય આનુવંશિક દ્રવ્ય છે,જે હર્શી અને ચેઇઝના પ્રયોગો દ્વારા સ્થાપિત થયું છે.
કોઈપણ અણુ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે તે માટે નીચેના માપદંડો જરૂરી છે:
$(i)$ તે પોતાની પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવું જોઈએ.
$(ii)$ તે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.
$(iii)$ તે ઉદવિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરી પાડતું હોવું જોઈએ.
$(iv)$ તે 'મેન્ડેલિયન લક્ષણો'ના સ્વરૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.
બેઇઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં લેતા,$DNA$ અને $RNA$ બંને પ્રતિકૃતિ બનાવી શકે છે. પ્રોટીન આ માપદંડ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.
આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું આવશ્યક છે,કારણ કે તે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ,ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયાઓમાં થતા ફેરફારો સાથે બદલાવું ન જોઈએ.
આ સ્થાયીપણું ગ્રિફિથના 'રૂપાંતરણ સિદ્ધાંત' (Transforming Principle) થી સ્પષ્ટ થાય છે,જેમાં બેક્ટેરિયાને ગરમ કરવા છતાં આનુવંશિક દ્રવ્યના ગુણધર્મો નાશ પામતા નથી.
જો $DNA$ ની બંને શૃંખલાઓને ગરમી દ્વારા અલગ કરવામાં આવે,તો પણ યોગ્ય પરિસ્થિતિમાં તે ફરીથી જોડાઈ શકે છે.
$RNA$ ના દરેક ન્યુક્લિઓટાઇડમાં $2'-OH$ સમૂહ એક પ્રતિક્રિયાશીલ સમૂહ તરીકે હાજર હોય છે,જે $RNA$ ને અસ્થિર અને સરળતાથી વિઘટન પામે તેવું બનાવે છે.
$RNA$ ની સાપેક્ષમાં $DNA$ રાસાયણિક રીતે ઓછો સક્રિય અને રચનાત્મક રીતે વધુ સ્થાયી છે. તેથી,$DNA$ વધુ સારું આનુવંશિક દ્રવ્ય છે.
$DNA$ માં યુરેસીલના સ્થાને થાઇમિન હોવાથી તેને વધારાની સ્થિરતા મળે છે.
$DNA$ અને $RNA$ બંનેમાં વિકૃતિ (mutation) થઈ શકે છે,પરંતુ $RNA$ અસ્થાયી હોવાથી ઝડપથી વિકૃતિ પામે છે. પરિણામે,$RNA$ જીનોમ ધરાવતા વાયરસ ટૂંકી જીવનઅવધિ ધરાવતા હોવાથી ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.
$RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સીધો સંકેત આપી શકે છે અને લક્ષણોને સરળતાથી અભિવ્યક્ત કરી શકે છે,જ્યારે $DNA$ પ્રોટીન સંશ્લેષણ માટે $RNA$ પર આધાર રાખે છે.
આમ,$RNA$ અને $DNA$ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે,પરંતુ $DNA$ વધુ સ્થાયી હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગીપાત્ર છે,જ્યારે $RNA$ જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે વધુ યોગ્ય છે.

Explore More

Similar Questions

બે ન્યુક્લિયોટાઇડ્સને ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ દ્વારા જોડીને ડાયન્યુક્લિયોટાઇડ મેળવવામાં આવે છે. આ લિંકેજ ન્યુક્લિયોટાઇડ્સની શર્કરાના કયા કાર્બન વચ્ચે હાજર હોય છે?

ટ્રાન્સપોઝોન્સ (Transposons) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$DNA$ એ દ્વિ-કુંડલમય (double helix) છે અને:

શર્કરા પિરિમિડિન સાથે કયા બંધના નિર્માણ દ્વારા જોડાય છે?

નીચેના વિધાનોનો અભ્યાસ કરો:
$(I)$ બેક્ટેરિયોફેજ લેમ્બડામાં $48502$ બેઝ જોડી $(bp)$ હોય છે.
$(II)$ $E. \text{ coli}$ માં $4.6 \times 10^6$ $bp$ હોય છે.
$(III)$ માનવ $DNA$ ની એકકીય માત્રા $3.3 \times 10^9$ $bp$ છે.
ખોટા વિધાન માટેનો વિકલ્પ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo