(N/A) ગ્રેગર મેન્ડલ,સટન,મોર્ગન તેમજ અન્ય વૈજ્ઞાનિકોની પૂર્વ શોધના આધારે સ્પષ્ટ થયું કે કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રો આનુવંશિક માહિતી ધરાવે છે,પરંતુ આનુવંશિક દ્રવ્યની પ્રકૃતિ વિશે સ્પષ્ટતા નહોતી.
જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિની શોધ $1926$ સુધીમાં આણ્વિય સ્તરે પહોંચી હતી.
ફ્રેડરિક ગ્રિફિથે $1928$ માં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની (ન્યુમોકોકસ) બેક્ટેરિયા દ્વારા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા.
જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ પામે છે,ત્યારે કેટલાક લીસી અને ચળકતી વસાહત ($S$ સ્ટ્રેઇન) બનાવે છે,જ્યારે કેટલાક ખરબચડી વસાહત ($R$ સ્ટ્રેઇન) બનાવે છે. આનું કારણ એ છે કે $S$ સ્ટ્રેઇન બેક્ટેરિયામાં શ્લેષ્મ (પોલિસેકેરાઇડ)નું આવરણ હોય છે,જ્યારે $R$ સ્ટ્રેઇનમાં આવું આવરણ હોતું નથી. જ્યારે ઉંદરને $S$ સ્ટ્રેઇન (ઝેરી) વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ન્યુમોનિયાના ચેપથી તેઓ મૃત્યુ પામ્યા. પરંતુ જ્યારે ઉંદરને $R$ સ્ટ્રેઇન વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેમને ન્યુમોનિયા થયો નહીં.
$S$ સ્ટ્રેઇન $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર મૃત્યુ પામ્યા.
$R$ સ્ટ્રેઇન $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર જીવંત રહ્યા.
ગ્રિફિથે બેક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા. તેણે જોયું કે ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઇન બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરવાથી ઉંદરનું મૃત્યુ થયું નહીં. જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઇન અને જીવંત $R$ સ્ટ્રેઇનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું,ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા. વધુમાં,આ મૃત ઉંદરમાંથી તેમને જીવંત $S$ બેક્ટેરિયા પ્રાપ્ત થયા.
$S$ સ્ટ્રેઇન (ગરમીથી મૃત કરેલ) $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર જીવંત રહ્યા.
$S$ સ્ટ્રેઇન (ગરમીથી મૃત કરેલ) $+$ $R$ સ્ટ્રેઇન (જીવંત) $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર મૃત્યુ પામ્યા.
ગ્રિફિથે તારણ કાઢ્યું કે $R$ સ્ટ્રેઇન બેક્ટેરિયા ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઇન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત (transformed) થાય છે.
રૂપાંતરણ સિદ્ધાંત: કોઈક રૂપાંતરણ તત્ત્વ મૃત $S$ સ્ટ્રેઇનમાંથી $R$ સ્ટ્રેઇનમાં વહન પામે છે,જેના કારણે $R$ સ્ટ્રેઇન લીસા પોલિસેકેરાઇડનું આવરણ બનાવે છે અને તે ઝેરી બની જાય છે. આ સૂચવે છે કે જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થયું છે.