મોર્ગનના સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગોનાં પરિણામોનું તારણ દર્શાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ફળમાખમાં ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગ કર્યો. આ પ્રયોગો મૅડલ દ્વારા કરાયેલા વટાણા પરના ક્રિસંકરણ પ્રયોગો જેવા જ હતા.

મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી ૨ માખીનું સંકરણ, બદામી શરીર અને લાલ આંખોવાળી ' માખી સાથે કરાવ્યું.

$F_2$ સંતતિઓનું પરફલન કરાવ્યું. તેમણે જોયું કે બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી અને $F_2$નું પ્રમાણ $9 : 3 : 3 : 1$થી અલગ મળ્યું (બે જનીનોનાં સ્વતંત્ર રહેવા પર આ પરિણામ અપેક્ષિત હતું).

મોર્ગન અને તેના સાથીદારો જનીન $X$ રંગસૂત્ર પર સ્થિત છે. તેનાથી માહિતગાર હતા. તેમણે એ પણ સમજ્ય કે દ્વિસંકરણ ક્રૉસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય તો પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે.

મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું. તેણે આ ઘટના માટે સહલગ્નતા (Linkage) શબ્દ આપ્યો જે એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ સૂચવે છે. બિનપિતૃ સંયોજનોની જોડ માટે પુનઃસંયોજન (Recombination) શબ્દ વાપર્યો.

મોર્ગને તથા તેના સહયોગીઓએ નોંધ્યું કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સહલગ્નતા વધુ હતી (પુનઃ સંયોજન ઓછું હતું). જ્યારે અન્ય શિથિલ જોડાણ ધરાવતા હતા (પુનઃ સંયોજન વધુ હતું).

તેમણે જોયું કે સફેદ અને પીળા જનીન મજબુતાઈથી જોડાયેલા હતા અને તેમનું પુનઃસંયોજન $1.3\, \%$ હતું. જ્યારે સફેદ અને લઘુપાંખ જનીનનું પુનઃ સંયોજન પ્રમાણ $37.2\, \%$ હતું. સહલગ્નતા ઓછી હતી.

મોર્ગનના વિદ્યાર્થી અલ્ફ્રેડ સ્ટ્રર્ટીવન્ટે (Alfred Strurtevant) એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેમની સ્થિતિનો નકશો દર્શાવ્યો.

પૂર્ણ જિનોમના અનુક્રમણના નિર્ધારણમાં જનીનિક નકશા (genetic map) ઉપયોગમાં લેવાય છે. આવું જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ $(H.G.P)$માં વર્ણવવામાં આવ્યું છે.

Similar Questions

બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......

નીચેનામાંથી પુનઃસંયોજનની આવૃતિનો ઉપયોગ કોણે કર્યો?

માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ......છે.

નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન $(A)$ અને બીજું કારણ $(R)$ છે.

વિધાન $(A)$:જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી.

કારણ $(R)$ :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે.

ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

વ્યતિકરણની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે, જો.....