(N/A) સૂર્યમુખી એકવર્ષાયુ વનસ્પતિ છે અને તે શાકીય પ્રકાંડ ધરાવે છે.
સૂર્યમુખીના અભિરંજિત કરેલ તરુણ પ્રકાંડના આડછેદનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરતાં તેમાં નીચે પ્રમાણેની રચના જોવા મળે છે: $(1)$ અધિસ્તર,$(2)$ બાહ્યક,$(3)$ મધ્યરંભ.
$(1)$ અધિસ્તર: તે સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર છે,જે મૃદુત્તક કોષોના એક સ્તરનું બનેલું છે. આ કોષોની બાહ્ય દીવાલ પર ક્યુટિકલનું પાતળું પડ હોય છે. આ કોષોમાંથી બહુકોષીય પ્રકાંડ રોમ ઉત્પન્ન થાય છે. કોષોની વચ્ચે પર્ણરંધ્રો હોય છે,જે વાયુવિનિમયનું કાર્ય કરે છે.
$(2)$ બાહ્યક: બાહ્યક ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે: અધઃસ્તર,મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર.
$(i)$ અધઃસ્તર: અધિસ્તરની નીચે આવેલા ભાગને અધઃસ્તર કહે છે. તે $3-4$ સ્તરની સ્થૂલકોણક પેશીનું બનેલું છે. કોષદીવાલ પર સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન હોય છે. આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. આ પેશી યાંત્રિક આધાર આપે છે.
(ii) મુખ્ય બાહ્યક: અધઃસ્તરની નીચે આવેલા આ ભાગમાં મૃદુત્તક પેશી હોય છે જેમાં આંતરકોષીય અવકાશ વધુ હોય છે. કોષદીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. આ પ્રદેશમાં રાળનલિકાઓ હોય છે. કોષો પાણી અને ખોરાકનો સંગ્રહ કરે છે.
(iii) અંતઃસ્તર: બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એકસ્તરીય છે. કોષો પીપ આકારના (Barrel shaped) હોય છે. તેમાં કાંજીકણો હોવાથી તેને મંડસ્તર (Starch Sheath) કહે છે.
$(3)$ મધ્યરંભ: મધ્યરંભમાં પરિચક્ર,વાહિપુલો અને મજ્જાનો સમાવેશ થાય છે.
$(i)$ પરિચક્ર: અંતઃસ્તરની અંદરની તરફ આવેલું આ સ્તર બહુસ્તરીય છે અને દઢોત્તક તથા મૃદુત્તક કોષોનું બનેલું છે. વાહિપુલની ઉપર આવેલા દઢોત્તક કોષોને બંડલટોપી કહે છે.
(ii) વાહિપુલો: સૂર્યમુખીના પ્રકાંડમાં $20-25$ વાહિપુલો એક વલયમાં ગોઠવાયેલા હોય છે. દરેક વાહિપુલ સહસ્થ,એકપાર્થસ્થ અને વર્ધમાન પ્રકારનું હોય છે. જલવાહિનીનો વિકાસ અંતરારંભ હોય છે. વાહિપુલમાં અન્નવાહક,એધા અને જલવાહક પેશી હોય છે. અન્નવાહક અને જલવાહક વચ્ચે આવેલી એધાને પુલીય એધા કહે છે,જે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે.