(N/A) એધા વલય ક્રિયાશીલ બને છે અને અંદરની તેમજ બહારની એમ બંને બાજુએ નવા કોષો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે.
મજ્જા તરફ વિભાજન પામતા એધાના કોષો દ્વિતીયક જલવાહક તરીકે પરિપક્વ થાય છે અને પરિઘ તરફ વિભાજન પામતા કોષો દ્વિતીયક અન્નવાહક તરીકે પરિપક્વ થાય છે.
સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે. પરિણામે,દ્વિતીયક અન્નવાહકની સાપેક્ષે દ્વિતીયક જલવાહકનું પ્રમાણ વધુ ઉત્પન્ન થાય છે અને તે એક સંઘટિત જથ્થો (Compact Mass) બનાવે છે.
દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને કારણે દબાણ સર્જાય છે,જે પ્રાથમિક અને દ્વિતીયક અન્નવાહકને ધીમે ધીમે કચડી નાખે છે (Gradually Crushed).
પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં કે તેની આસપાસ અકબંધ રહે છે.
કેટલીક જગ્યાએ,એધા મૃદુત્તક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે જે દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકમાંથી અરીય દિશામાં પસાર થાય છે. આને દ્વિતીયક મજ્જા કિરણો કહેવામાં આવે છે.