તમે ચોક્કસપણે નિસ્તેજ (ઝાંખા) તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ થતાં જોયાં છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો. શુદ્ધ કરવા માટે અસરકારક છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કૉપર ધાતુની સપાટી પર હવાની પ્રક્રિયા દ્વારા બેઝિક કૉપર કાર્બોનેટનું સ્તર ઉદ્દભવે છે. 

$2Cu(s) + {O_2}(g) + {H_2}O(l)$ $ + C{O_2}(g) \to CuC{O_3} + Cu{(OH)_2}(s)$

     કૉપર           હવામાંના ઘટકો                                 (બેઝિક) કોપર કાર્બોનેટ

કૉપર ધાતુની સપાટી પર રચાતું આવું બેઝિક કૉપર કાર્બોનેટ સ્તર (પડ) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેને એકલા માત્ર પાણી વડે સાફ કરી શકાતું નથી, પરંતુ તે ઍસિડમાં દ્રાવ્ય છે. તે મુજબ લીંબુ સાઇટ્રિક ઍસિડ ધરાવે, આમલી ટાર્ટરિક ઍસિડ ધરાવે છે અથવા બીજા અન્ય કોઈ ખાટા પદાર્થો કે જે એસિડ ધરાવતા હોય તે આવા વાસણોને શુદ્ધ કરવા માટે અસરકારક ગણી શકાય છે.

આ પ્રકારના ઍસિડ કે બેઝિક કૉપર કાર્બોનેટને તટસ્થ બનાવે છે અને આ પ્રકારના સ્તરને દ્રાવ્ય બનાવે છે. આથી નિસ્તેજ તાંબાના વાસણોને લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ કરવામાં આવે છે અને તેમને ચમકદાર બનાવવામાં આવે છે.

Similar Questions

કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.

કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓનાં નામ આપો. 

એવી ધાતુનું ઉદાહરણ આપો :

$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.

$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.

$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.

$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.

કારણ આપો કે કૉપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.

નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે છે ?