(N/A) આલ્કોહોલ ($C_{n}H_{2n+1}OH$,જ્યાં $n \geq 2$) સાંદ્ર ખનિજ એસિડ જેવા કે $H_{2}SO_{4}$ અથવા $H_{3}PO_{4}$ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને નિર્જલીકરણ પામે છે,જેના પરિણામે આલ્કીન બને છે.
પ્રક્રિયાની ક્રિયાવિધિ:
આ પ્રક્રિયામાં,$\alpha$-કાર્બન પરથી $-OH$ સમૂહ અને $\beta$-કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ પાણીના અણુ $(H_{2}O)$ તરીકે દૂર થાય છે. આનાથી $\alpha$ અને $\beta$-કાર્બન વચ્ચે $\pi$-બંધ રચાય છે. આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થતો હોવાથી તેને એસિડિક નિર્જલીકરણ કહેવામાં આવે છે. તેને $\beta$-વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામાન્ય પ્રક્રિયા:
$CH_{3}-CH_{2}-OH \xrightarrow[\Delta, 443 \ K]{\text{સાંદ્ર} \ H_{2}SO_{4} \ / \ H_{3}PO_{4}} CH_{2}=CH_{2} + H_{2}O$