(N/A) સુપરપોઝિશનનો સિદ્ધાંત જણાવે છે કે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુએ,સંખ્યાબંધ તરંગો દ્વારા ઉત્પન્ન થતું પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગ દ્વારા વ્યક્તિગત રીતે ઉત્પન્ન થતા સ્થાનાંતરનો સદિશ સરવાળો છે.
વ્યતિકરણ એ એક ભૌતિક ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે બે કે તેથી વધુ તરંગો માધ્યમના કોઈ ચોક્કસ બિંદુએ એકબીજા પર સંપાત થાય છે,જેના પરિણામે નવી તરંગ ભાત રચાય છે.
વ્યતિકરણના બે પ્રકાર છે:
$(1)$ સહાયક વ્યતિકરણ (Constructive interference): જ્યારે એક તરંગનું શૃંગ બીજા તરંગના શૃંગ પર સંપાત થાય,અથવા જ્યારે એક તરંગનો ગર્ત બીજા તરંગના ગર્ત પર સંપાત થાય ત્યારે તેને સહાયક વ્યતિકરણ કહેવાય છે. આનાથી પરિણામી કંપવિસ્તારમાં વધારો થાય છે.
$(2)$ વિનાશક વ્યતિકરણ (Destructive interference): જ્યારે એક તરંગનું શૃંગ બીજા તરંગના ગર્ત પર સંપાત થાય,અથવા જ્યારે એક તરંગનો ગર્ત બીજા તરંગના શૃંગ પર સંપાત થાય ત્યારે તેને વિનાશક વ્યતિકરણ કહેવાય છે. આનાથી પરિણામી કંપવિસ્તારમાં ઘટાડો થાય છે.