પુનેટ સ્કેવરના ઉપયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી આપો.
જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરે છે ત્યારે પિતૃ જોડના એલેલ (Allel) એકબીજાથી વિશ્લેષણ પામી અને માત્ર એક જ એલેલ જન્યુઓમાં પ્રવેશે છે. આ વિશ્લેષણ અનિયમિત (random) હોય છે અને જન્યુમાં કોઈ એક એલેલ હોવાની સંભાવના $50\, \%$ હોય છે.
આ પ્રકારે ઊંચા છોડમાં $(T)$ કારક અને નીચા છોડમાં $(t)$ કારક હોય છે. ફલન દરમિયાન આ બેમાંથી એક એલેલ પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને બીજું, અંડકોષના માધ્યમમાંથી આવી, જોડાણ પામી યુગ્મનજ (Zygote) બનાવે છે જે $(T)$ અને $(t)$ એલેલ ધરાવે છે. આ વિરોધાભાસી લક્ષણો $(Tt)$ પ્રદર્શિત કરતો વિષમયુગ્મી (Heterozygous) છોડ બને છે.
પુનેટ સ્કેવરનાં અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું નિર્માણ, ફલિતાંડનું નિર્માણ $F_1$ અને $F_2$ સંતતિના છોડને સમજી શકાય છે.
બ્રિટીશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી, "નેટ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે.
આ આલેખીય રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી માટે વપરાય છે. બધાં જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુનાં કૉલમમાં બંને બાજુ લખાય છે. બધા સંભવિત સંયોજનોને નીચેના ચોરસ ખાનામાં દર્શાવાય છે.
પુનેટ સ્કવેરમાં ઊંચા $(TT)$ નર પિતૃ અને નીચા $(tt)$ (માદા) છોડ દ્વારા ઉત્પન્ન જન્યુઓ અને $F_1$ સંતતિ $Tt$થી દર્શાવાય છે. $Tt$ પ્રકારના $F_1$ને સ્વપરાગિત કરાય છે. $F_1$ પેઢીના માદા (અંડકોષ) અને નર (શુક્રકોષ)ને ૨ અને 7 સંકેત દ્વારા દર્શાવાય છે. $Tt$ ના $F_1$ છોડના સ્વફલનથી સરખી સંખ્યામાં $T$ અને $t$ જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ મળે છે.
નીચે આપેલ કયો નિયમ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો ?
$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્ભવતી સંતતિનું પ્રમાણ ....છે.
નીચે એકસંકરણ પ્રયોગનું અરેખીય નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ છોડમાં ઉચાઈ માટે ક્યું જનીનપ્રકાર હોય છે ?
$\quad P \quad Q \quad R$
બે સમયુગ્મી પિતૃની સંતતિ એકબીજાથી માત્ર એક જનીનના સ્થાન પર કારક દ્વારા અલગ પડે છે, જેને.... તરીકે ઓળખવામાં આવે છે.
લક્ષણ કે જે સંકરણમાં અભિવ્યક્ત થાય તેને..... કહેવાય છે.