જનીનવિધા (genetics) કોને કહે છે ? આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતી આપો.
આપણને આશ્ચર્ય થાય છે કે હાથીનાં બચ્ચાં કેવી રીતે હાથી જેવાં જ હોય છે ? કેરીના ગોટલામાં આંબો જ ઊગે છે. શા માટે ?
સંતતિ, તેમના પિતૃઓને મળતી આવે છે. એક જ કુટુંબના બાળકો એકબીજાને મળતા આવે છે તેમ છતાં તેમનામાં કેટલીક અસમાનતા પણ હોય છે. કેમ ?
આવા, અને સંબંધિત પ્રશ્નો સાથે, વૈજ્ઞાનિક રીતે જીવવિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે તે જનીનવિદ્યા (genetics) તરીકે ઓળખાય છે.
આ વિષય આનુવંશિકતા (inheritance) તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા (variation) સાથે સંકળાયેલ છે.
આનુવંશિકતાનો અર્થ થાય છે કે એક પેઢીથી બીજી પેઢીમાં વારસાગત રીતે લક્ષણોનું વહન, તેની માહિતી ફલિતાંડ (Zygote)માં હોય છે.
ભિન્નતા (variation) જેના દ્વારા સંતતિઓ તેમના પિતૃઓથી જુદી પડે છે. એક જ જાતિની વ્યક્તિઓમાં ઉદ્ભવતા જુદાપણાને ભિન્નતા કહે છે.
લિંગી પ્રજનનને કારણે દરેક સજીવે નવી પેઢીની સંતતિ ઉત્પન્ન કરે છે, જે પિતૃઓ જેવી હોય છે.
તેમ છતાં દરેક જાતિને પોતાની લાક્ષણિકતા હોય છે. તેથી, તબક્કાવાર અને સતત ફેરફારની પ્રક્રિયાઓથી સજીવો ઉત્ક્રાંતિ (evolution) પામ્યાં જે બહોળી વિવિધતા ધરાવે છે.
નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?
મેન્ડલના કાર્ય તેમજ સફળતા વિશે માહિતી આપો.
પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.
.....નાં કારણે મેન્ડલે વટાણાની વનસ્પતિને તેમનાં પ્રયોગ માટે પસંદ કરી.
જનીનવિઘા નીચેનામાંથી કઈ બાબતને સાંકળતુ નથી.