(N/A) વેગ-સમયના આલેખમાં,સમયને $x$-અક્ષ પર અને વેગને $y$-અક્ષ પર લેવામાં આવે છે.
$(i)$ પ્રવેગ $=$ વેગમાં ફેરફાર $/$ સમય હોવાથી,વેગ-સમયના આલેખનો ઢાળ (slope) પ્રવેગ આપે છે. જો ઢાળ ધન હોય,તો તે પ્રવેગી ગતિ છે અને જો ઢાળ ઋણ હોય,તો તે પ્રતિપ્રવેગી ગતિ છે.
$(ii)$ વેગ $\times$ સમય $=$ સ્થાનાંતર હોવાથી,આલેખ અને સમયની અક્ષ વચ્ચે ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતર દર્શાવે છે. સમયની અક્ષની ઉપરનું ક્ષેત્રફળ ધન સ્થાનાંતર અને નીચેનું ક્ષેત્રફળ ઋણ સ્થાનાંતર દર્શાવે છે. કુલ સ્થાનાંતર આ ક્ષેત્રફળોના બૈજિક સરવાળા દ્વારા મેળવવામાં આવે છે.
$(iii)$ પદાર્થ દ્વારા કાપેલું કુલ અંતર એ વેગ-સમયના આલેખ અને સમયની અક્ષ વચ્ચે ઘેરાયેલા ક્ષેત્રફળોના મૂલ્યોનો અંકગણિતીય સરવાળો (ચિહ્ન ધ્યાનમાં લીધા વગર) છે.