(N/A) યકૃત નિવાહિકા તંત્ર એ પાચન માર્ગ અને યકૃત વચ્ચે જોવા મળતું એક વિશિષ્ટ રુધિરવાહિની જોડાણ છે.
તેનું મુખ્ય મહત્વ નીચે મુજબ છે:
$1$. પોષકતત્વોનું સંચાલન: પાચન માર્ગમાંથી શોષાયેલા વધારાના પોષકતત્વો,જેમ કે ગ્લુકોઝ અને એમિનો એસિડ,સીધા યકૃતમાં મોકલવામાં આવે છે,જ્યાં તેમનો સંગ્રહ થાય છે અને જરૂર પડે ત્યારે શરીર તેનો ઉપયોગ કરી શકે છે.
$2$. વિષહરણ (Detoxification): યકૃત પાચન માર્ગમાંથી શોષાયેલા પદાર્થો પર પ્રક્રિયા કરે છે,જેમાં ઝેરી એમોનિયાનું યુરિયામાં રૂપાંતર થાય છે,જે ત્યારબાદ ઉત્સર્જન માટે મૂત્રપિંડમાં મોકલવામાં આવે છે.
$3$. ચયાપચયનું નિયમન: તે સુનિશ્ચિત કરે છે કે રુધિર દૈહિક પરિભ્રમણમાં પ્રવેશતા પહેલા યકૃત દ્વારા ચયાપચયની પ્રક્રિયામાંથી પસાર થાય.