સસ્પંદન રચનાઓ એટલે શું ? શા માટે સસ્પંદન રચનાઓ આપવી પડે છે તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
સસ્પંદન રચનાઓ : એક જ અણુની કે આયનની ભિન્ન લૂઇસ રચનાઓને સસ્પંદન રચનાઓ કહે છે. કોઈ એક જ લૂઇસ રચનાથી અણુ કે આયનોને ચોકસાઈથી વર્ણવી શકતા ન હોય તો -એકથી વધારે લૂઇસ રચનાઓ -એટલેકે સસ્પંદન રચનાઓથી વર્ણવામાં આવે છે.
ઓઝોન $O_3$ ની સસ્પંદન રચનાઓ : સસ્પંદન રચનાઓ દોરવામાં પરમાણુ કેન્દ્રોનાં સ્થાન બદલવામાં આવતાં નથી. દરેક સસ્પંદન રચનામાં બંધકારક અને અબંધકાર, ઇલેક્ટ્રૉનનાં સ્થાન બદલાય છે, પણ લૂઇસ રચના ભિન્ન લાગતી નથી. ભિન્ન સસ્પંદન રચના વચ્ચે જેવું તીર મૂકાય છે. દરેક સસ્પંદન રચના સમાન ઊર્જાની હોય છે.
$O_3$ અણુની બે સસ્પંદન રચના $(I)$ અને $(II)$ છે અને $(III)$ સંકર બંધારણ
સસ્પંદન મર્યાદા : કોઈ એક રચના સાચું બંધારણ દર્શાવતું નથી. $O-O$ ની બંધલંબાઈ $148\,pm$ હોય છે અને$O = O$ની બંધલંબાઈ $121\,pm$ હોય છે, $O_3$ માં આવી એકબંધ કે દ્વિબંધની લંબાઈ પ્રાયોગિક રીતે મળતી નથી.
$\therefore O_3$ નું સાચું બંધારણ $(1)$ કે $(II)$ નથી..
સસ્પંદન ફાયદા : સાચું બંધારણ સંકરણ બંધારણ છે. $O_3$ માં બંને $O-O$ ની બંધલંબાઈ એકસમાન $128\,pm$ મળે છે માટે $O_3$ ની વાસ્તવિક રચના સંકર સ્વરૂપ $(III)$ જ હોય. જેમાં એક કે દ્વિબંધ સ્થાયી નથી. સસ્પંદન બંધારણો દોરવા આવશ્યક છે કારણ કે તેનાથી સાચી ભિન્ન લૂઇસ રચનાઓ મળે છે. આવી એક પણ સસ્પંદન રચના સાચી બંધલંબાઈ અને બંધઊર્જાની સાથે સુસંગત નથી જે તેની મર્યાદા છે. આ બંધારણોથી સાચા બંધારણની આગાહી કરી શકાય તે ફાયદો છે.
ક્યારે સસ્પંદન સ્વરૂપો દોરી શકાય ? તે જણાવો ?
${\rm{S}}{{\rm{O}}_3},{\rm{N}}{{\rm{O}}_2}$ અને ${\rm{NO}}_3^-$ ની સસ્પંદન રચનાઓ લખો.
નીચેનામાંથી એક $\pi-$ બંધ અને મહત્તમ પ્રમાણભૂત સ્વરૂપો ધરાવતી આયનોને ઓળખો:
${\rm{CO}}_3^{2 - }$ આયનના સંદર્ભમાં સસ્પંદનની અગત્યની બાબતોમાં સમજાવો.
નીચે પૈકી કયું સંસ્પંદન રચનાઓ વિષે સાચું નથી?