વેગ નિયમ એટલે શું ? પ્રક્રિયાવેગ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.
પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયકની સાંદ્રતા (mol L${ }^{-1}$ કે વાતાવરણ) તાપમાન,ઉદ્દીપક વગેરે ઉપર આધાર રાખે છે. આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નીપજોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં દર્શાવવાની રજૂઆત 'વેગ નિયમ' તરીકે ઓળખાય છે. તેને 'વેગ સમીકરણ' અથવા 'વેગ અભિવ્યક્તિ' પણ કહે છે.
જેમ સમય પસાર થાય તેમ પ્રક્રિયામાંના પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી હોય છે, જેથી જેમ સમય પસાર થાય તેમ પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે. વળી જો પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે છે.
$\therefore$ પ્રક્રિયાનો વેગ $\propto$ પ્રક્રિયકોની સાંદ્રતા
પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે.
$A + B \rightarrow$ નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......
એક ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયાના વેગ સાથે ક્રિયાધાર (અવસ્તર) સાંદ્રતાની બદલાવ આલેખ વડે પ્રદર્શિત કરે છે તે $..............$
પ્રક્રિયા $ A + B \rightarrow $ નિપજ માટે જો $ A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.
નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :
$1.$ $\frac {1}{2}$ ક્રમ
$2.$ $\frac {3}{2}$ ક્રમ
રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપિ હોઈ શકે નહિ?