પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.
$\Rightarrow$ પર્ણવિન્યાસ : પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.
$\Rightarrow$ તે સામાન્ય રીતે ત્રણ પ્રકારની હોય છે : એકાંતરિક (Alternate), સન્મુખ (Opposite) અને ભ્રમિરૂપ (ચક્રાકાર - Whorled).
$\Rightarrow$ એકાંતરિક : એક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે. ઉદા., જાસૂદ, રાઈ અને સૂર્યમુખી વગેરે.
$\Rightarrow$ સન્મુખ : એક ગાંઠ પરથી એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ (બે પર્ણો) વિકસે છે. ઉદા., આકડો (Calotropis) અને જામફળ (Guava).
$\Rightarrow$ ભ્રમિરૂપ : જો એક ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે તેને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહે છે. ઉદા., સપ્તપર્ણી (Alstonia)
ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.
મક્ષીપાશ કિટકનું ભક્ષણ કરવા $......$ અંગનું રૂપાંતર કરે છે.
સપ્તપર્ણીમાં જોવા મળે.
દાંડીપત્ર ...........માં હાજર હોય છે.
લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.