(N/A) પ્રકાશીય ઘટ્ટ માધ્યમ એવું માધ્યમ છે જેમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે અને તેનો વક્રીભવનાંક વધારે હોય છે. તેનાથી વિપરીત,પ્રકાશીય પાતળું માધ્યમ એવું માધ્યમ છે જેમાં પ્રકાશની ઝડપ વધારે હોય છે અને તેનો વક્રીભવનાંક ઓછો હોય છે.
જ્યારે પ્રકાશ પ્રકાશીય પાતળા માધ્યમ (માધ્યમ-$1$) માંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમ (માધ્યમ-$2$) માં જાય છે,ત્યારે માધ્યમ-$1$ ની સાપેક્ષે માધ્યમ-$2$ નો વક્રીભવનાંક $n_{21} > 1$ હોય છે.
સ્નેલના નિયમ મુજબ:
$\frac{\sin i}{\sin r} = n_{21}$
અહીં $n_{21} > 1$ હોવાથી:
$\frac{\sin i}{\sin r} > 1$
$\therefore \sin i > \sin r$
$\therefore i > r$
આનો અર્થ એ છે કે જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે છે.