(N/A) વિખનીજીકરણ પામેલું પાણી તમામ દ્રાવ્ય ખનિજ ક્ષારોથી મુક્ત હોય છે. તેમાં કોઈ પણ પ્રકારના ઋણાયન (anions) કે ધનાયન (cations) હોતા નથી.
વિખનીજીકરણ પામેલું પાણી મેળવવા માટે,પાણીને ક્રમશઃ ધનાયન વિનિમય (cation exchange) ($H^+$ સ્વરૂપમાં) અને ઋણાયન વિનિમય (anion exchange) ($OH^-$ સ્વરૂપમાં) રેઝિનમાંથી પસાર કરવામાં આવે છે.
ધનાયન વિનિમય પ્રક્રિયા દરમિયાન,પાણીમાં રહેલા $Na^+, Mg^{2+}, Ca^{2+}$ અને અન્ય ધનાયનોના બદલામાં $H^+$ મુક્ત થાય છે.
$2RH_{(s)} + M^{2+}_{(aq)} \leftrightarrow MR_{2(s)} + 2H^+_{(aq)} \dots (1)$
ઋણાયન વિનિમય પ્રક્રિયામાં,પાણીમાં રહેલા $CO_3^{2-}, SO_4^{2-}, Cl^-, HCO_3^-$ જેવા ઋણાયનોના બદલામાં $OH^-$ મુક્ત થાય છે.
$RNH_{2(s)} + H_2O_{(l)} \leftrightarrow RNH_3^+OH^-_{(s)}$
$RNH_3^+OH^-_{(s)} + X^-_{(aq)} \leftrightarrow RNH_3^+X^-_{(s)} + OH^-_{(aq)} \dots (2)$
પ્રક્રિયા $(2)$ માં મુક્ત થયેલા $OH^-$ આયનો,પ્રક્રિયા $(1)$ માં મુક્ત થયેલા $H^+$ આયનોને તટસ્થ કરે છે,જેનાથી પાણી બને છે.
$H^+_{(aq)} + OH^-_{(aq)} \longrightarrow H_2O_{(l)}$