(N/A) પાણી એક રંગહીન અને સ્વાદહીન પ્રવાહી છે. ઘનીકૃત અવસ્થામાં (પ્રવાહી અને ઘન અવસ્થાઓ) પાણીના અસામાન્ય ગુણધર્મો પાણીના અણુઓ વચ્ચે વ્યાપક હાઇડ્રોજન બંધન હોવાને કારણે છે.
આના કારણે $H_{2}S$ અને $H_{2}Se$ ની તુલનામાં ઊંચું ઠારણ બિંદુ,ઊંચું ઉત્કલન બિંદુ,બાષ્પીભવનની ઊંચી ઉષ્મા અને ગલનની ઊંચી ઉષ્મા જોવા મળે છે.
અન્ય પ્રવાહીઓની તુલનામાં,પાણીની વિશિષ્ટ ઉષ્મા,ઉષ્મીય વાહકતા,પૃષ્ઠતાણ,દ્વિધ્રુવીય ચાકમાત્રા અને ડાયઇલેક્ટ્રિક અચળાંક વધુ હોય છે.
આ ગુણધર્મો પાણીને જીવાવરણમાં મુખ્ય ભૂમિકા ભજવવા દે છે.
તે વનસ્પતિ અને પ્રાણીઓના ચયાપચય માટે જરૂરી આયનો અને અણુઓના પરિવહન માટે ઉત્તમ દ્રાવક છે.
ધ્રુવીય અણુઓ સાથે હાઇડ્રોજન બંધનને કારણે,આલ્કોહોલ અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા સહસંયોજક સંયોજનો પણ પાણીમાં ઓગળી જાય છે.